કોંગ્રેસના 4 સાંસદોનું સસ્પેન્શન રદ, લોકસભાની કાર્યવાહી પાટે ચડી
ભારે હોબાળા વચ્ચે લોકસભાએ કોંગ્રેસના ચાર સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો ઠરાવ મંજૂર કર્યો હતો. જે સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે તેમાં મણિકમ ટાગોર, ટીએન પ્રતાપન, જ્યોતિમણિ અને રામ્યા હરિદાસનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે 25 જુલાઈના રોજ, કોંગ્રેસના આ ચાર સભ્યોને લોકસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો દરમિયાન પ્લેકાર્ડ બતાવવા અને ખુરશીનો તિરસ્કાર દર્શાવવા બદલ વર્તમà
09:33 AM Aug 01, 2022 IST
|
Vipul Pandya
ભારે હોબાળા વચ્ચે લોકસભાએ કોંગ્રેસના ચાર સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો ઠરાવ મંજૂર કર્યો હતો. જે સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે તેમાં મણિકમ ટાગોર, ટીએન પ્રતાપન, જ્યોતિમણિ અને રામ્યા હરિદાસનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનિય છે કે 25 જુલાઈના રોજ, કોંગ્રેસના આ ચાર સભ્યોને લોકસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો દરમિયાન પ્લેકાર્ડ બતાવવા અને ખુરશીનો તિરસ્કાર દર્શાવવા બદલ વર્તમાન સત્રના બાકીના સમયગાળા માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ બંને ગૃહોની કાર્યવાહીમાં હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ સરકાર પર ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ન કરવાનો આરોપ લગાવી રહ્યો છે. જોકે, સોમવારે કોંગ્રેસના સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યા બાદ લોકસભાની કાર્યવાહી પાછી પાટા પર આવી ગઈ હતી. કોંગ્રેસના સાંસદોનું સસ્પેન્શન રદ કર્યા બાદ આજે બપોરે લોકસભામાં મોંઘવારી પર ચર્ચા શરૂ થઈ હતી.
આ પહેલા સોમવારે લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી. બે વખત સ્થગિત કર્યા પછી, જ્યારે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યે શરૂ થઈ, ત્યારે ઉપાધ્યક્ષ ભુવનેશ્વર કલિતાએ ગૃહના ટેબલ પર જરૂરી દસ્તાવેજો મેળવ્યા. થોડી જ વારમાં વિરોધ પક્ષોના સભ્યોએ મોંઘવારી અને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના મુદ્દે હોબાળો શરૂ કર્યો હતો.
Next Article