સપાના નેતા આઝમ ખાનના સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા
આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે. આ સાથે આઝમ ખાન બે વર્ષ માટે સીતાપુર જેલમાંથી બહાર આવે તેવી શક્યતા વધી ગઈ છે. આઝમ ખાન વિરુદ્ધ નોંધાયેલા કુલ 89 કેસમાંથી 88માં તેને જામીન મળી ચૂક્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેમની વિરુદ્ધ કોઈ નવો કેસ નોંધવામાં નહીં આવે તો 89માં કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમના જેà
આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે. આ સાથે આઝમ ખાન બે વર્ષ માટે સીતાપુર જેલમાંથી બહાર આવે તેવી શક્યતા વધી ગઈ છે. આઝમ ખાન વિરુદ્ધ નોંધાયેલા કુલ 89 કેસમાંથી 88માં તેને જામીન મળી ચૂક્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેમની વિરુદ્ધ કોઈ નવો કેસ નોંધવામાં નહીં આવે તો 89માં કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમના જેલમાંથી બહાર આવી શકશે. વચગાળાના જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે છૂટ આપી છે કે સમાજવાદી પાર્ટીના નેતા પણ બે અઠવાડિયામાં સંબંધિત કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સક્ષમ કોર્ટ દ્વારા નિયમિત જામીન આપવામાં ન આવે ત્યાં સુધી વચગાળાના જામીન ચાલુ રહેશે.
જ્યાં સુધી કોર્ટ સામાન્ય જામીન પર નિર્ણય ન લે ત્યાં સુધી વચગાળાના જામીન ચાલુ રહેશે. જો કોર્ટ આઝમ ખાનને સામાન્ય જામીન નહીં આપે તો આગામી બે સપ્તાહ સુધી વચગાળાના જામીન ચાલુ રહેશે. પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આઝમ ખાનની જામીનની શરતો ટ્રાયલ કોર્ટ નક્કી કરશે. આઝમ ખાને 2 અઠવાડિયાની અંદર સામાન્ય જામીન માટે અરજી કરવી પડશે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાની બેન્ચે કલમ 142 હેઠળ આપવામાં આવેલી વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને આ આદેશ આપ્યો હતો. આદેશનો ભાગ વાંચતા જસ્ટિસ ગવઈએ કહ્યું કે આ કલમ 142 લાગુ કરવા માટે યોગ્ય મામલો છે.
Advertisement