રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે માં આશાપુરાના મંદિરના દર્શન કર્યા
કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે માતાનામઢ ખાતે દેશદેવી માં આશાપુરાના ચરણોમાં શિષ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. કૃષિમંત્રીએ માં આશાપુરાની આરતી અને પૂજનનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાથે જોડાયા હતા. માતાનામઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા અને મેનેજર મયુરસિંહ જાડેજાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને આવકાર આપી સન્માન કàª
કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે માતાનામઢ ખાતે દેશદેવી માં આશાપુરાના ચરણોમાં શિષ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. કૃષિમંત્રીએ માં આશાપુરાની આરતી અને પૂજનનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાથે જોડાયા હતા.
માતાનામઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા અને મેનેજર મયુરસિંહ જાડેજાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને આવકાર આપી સન્માન કર્યું હતું. માતાનામઢ ખાતે ચાલી રહેલા વિકાસકામોની કૃષિમંત્રીએ સમીક્ષા કરી હતી.
આપણ વાંચો-ભુજની માઇન સ્ટોનની ખાણમાં 50 ફૂટ ઉપરથી પથ્થરો પડતા ચાર દટાયા, ત્રણે ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો, એક ગંભીર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement