Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રીલંકામાં સંકટ વચ્ચે વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે સોમવારે આપી શકે છે રાજીનામું

શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સોમવારે રાજીનામું આપે તેવી શક્યતા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સામગી જન બલવેગયા પાર્ટીના સાજીથ પ્રેમદાસાને વચગાળાની સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. જો કે વિપક્ષે વડાપ્રધાન પદની ઓફરને ફગાવી દીધી છે. સામગી જના બાલવેગયાના રાષ્ટ્રીય આયોજક તિસા આતસનાયકેએ જાણ કરી છે. પ્રેમદાસાને શ
11:41 AM May 08, 2022 IST | Vipul Pandya

શ્રીલંકામાં ચાલી રહેલા
આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સોમવારે રાજીનામું આપે
તેવી શક્યતા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સામગી જન બલવેગયા પાર્ટીના
સાજીથ પ્રેમદાસાને વચગાળાની સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. જો કે વિપક્ષે
વડાપ્રધાન પદની ઓફરને ફગાવી દીધી છે. સામગી જના બાલવેગયાના રાષ્ટ્રીય આયોજક તિસા
આતસનાયકેએ જાણ કરી છે. પ્રેમદાસાને શનિવારે સવારે રાષ્ટ્રપતિ રાજપક્ષે દ્વારા
બોલાવવામાં આવ્યા હતા અને શ્રીલંકાના વડાપ્રધાન તરીકેનું પદ સંભાળવા આમંત્રણ
આપવામાં આવ્યું હતું કારણ કે દેશ આર્થિક અને નાણાકીય મંદી સાથે ઝઝૂમી રહ્યો છે.


જોકે પ્રેમદાસાએ આ ઓફર ઠુકરાવી દીધી છે. SJBના રાષ્ટ્રીય આયોજક તિસા
અતસનાયકેએ શ્રીલંકાના મીડિયાને જણાવ્યું હતું કે પ્રેમદાસાએ વચગાળાની સરકારમાં વડાપ્રધાન
પદની ઓફર સ્વીકારી નથી. પરંતુ
SJB વચગાળાની સરકારને શરતી સમર્થન આપી શકે છે. તેમણે
કહ્યું કે અમે ફક્ત તે જ સરકારને સમર્થન આપીશું જે બાર એસોસિએશનના પ્રસ્તાવને
સ્વીકારશે. તમને જણાવી દઈએ કે શ્રીલંકાના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિપક્ષ
બે વખત સ્પીકરને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી ચૂક્યો છે.


વિપક્ષી નેતા દ્વારા
સૂચિબદ્ધ મુખ્ય શરત મહિન્દા રાજપક્ષેના રાજીનામાની માંગ હતી અને રાષ્ટ્રપતિ
ગોટાબાયા રાજપક્ષેની કેટલીક રાષ્ટ્રપતિ સત્તા સંસદમાં ટ્રાન્સફર કરવાની હતી. સાજીથ
પ્રેમદાસાએ ટ્વિટ કરીને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંનેના રાજીનામાની માંગ કરી છે.
સાજીથ પ્રેમદાસાએ સતત અનેક ટ્વિટ કરી છે. સાજીથ પ્રેમદાસાએ ટ્વીટ કર્યું હતું કે
સામગી જન બલવેગયા શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે
શ્રીલંકાના બાર એસોસિએશન દ્વારા લાવવામાં આવેલા ઠરાવોને સમર્થન આપે છે
, જેમાં કાર્યકારી પ્રમુખપદ નાબૂદ કરવાનો પણ સમાવેશ થાય છે.

Tags :
GujaratFirstMahindarajapaksaSajithPremdasaSriLanka
Next Article