એક મોટા ઉદ્યોગપતિની પત્ની સાથે રાત વિતાવી હતી, તેના પતિએ જ મને આ માટે રિકવેસ્ટ કરી
કંગના રનૌતના બહુ ચર્તિત શો લોક અપમાં તહસીનને એલિમિનેશન પહેલા એક કેદીને બચાવવાનો મોકો મળ્યો હતો. આ દરમિયાન તેણે સાયેશા શિંદેને બચાવી હતી. પરંતુ આ માટે તેણે તેનું એક રહસ્ય પણ જાહેર કરવું પડ્યું, તહસીન પૂનાવાલાએ પોતાનું રહસ્ય ખોલતા કહ્યું હતું કે તેણે એક મહિલા સાથે રાત વિતાવી હતી અને તેની પાસે આ ડિમાન્ડ તે મહિલાના ઔદ્યોગિક પતિએ જ કરી હતી. તહસીને પણ આ માંગણી સ્વીકારી લીધી કારણ કે તેà
કંગના રનૌતના બહુ ચર્તિત શો લોક અપમાં તહસીનને એલિમિનેશન પહેલા એક કેદીને બચાવવાનો મોકો મળ્યો હતો. આ દરમિયાન તેણે સાયેશા શિંદેને બચાવી હતી. પરંતુ આ માટે તેણે તેનું એક રહસ્ય પણ જાહેર કરવું પડ્યું, તહસીન પૂનાવાલાએ પોતાનું રહસ્ય ખોલતા કહ્યું હતું કે તેણે એક મહિલા સાથે રાત વિતાવી હતી અને તેની પાસે આ ડિમાન્ડ તે મહિલાના ઔદ્યોગિક પતિએ જ કરી હતી. તહસીને પણ આ માંગણી સ્વીકારી લીધી કારણ કે તેને તે ઉદ્યોગપતિ પાસેથી કોન્ટ્રકાક્ટ સાઇન કરાવવાના હતા. તહેસીન પૂનાવાલાએ કહ્યું, 'મેં એક મોટા ઉદ્યોગપતિની પત્ની સાથે રાત વિતાવી હતી કારણ કે તેના પતિએ મને આ માટે રિકવેસ્ટ કરી હતી.
લગ્ન પહેલાં પત્ની મોનિકા વાડ્રા હતી અજાણ
તહસીનના આ ખુલાસા પર કંગના રનૌતે તેને પૂછ્યું કે શું તેની પત્ની મોનિકા વાડ્રા આ બધું જાણે છે ? આના પર તેણે જવાબ આપ્યો કે મારી પત્નીને આ વિશે કંઈ ખબર નથી. આ ઘટના બની ત્યારે મારા લગ્ન થયા ન હતા. પરંતુ લગ્ન બાદ હું મારી પત્નીને મળ્યો અને અમારા સંબંધો શરૂ કર્યા ત્યાર બાદ મેં તેને આ બધું કહ્યું હતું.
કંગના રનૌતે ખખડાવ્યો
તહસીન પૂનાવાલા કંગના રનૌતની જેલમાં બ્લૂ ટીમમાં સામેલ હતો. પરંતુ તે તેની ટીમ સાથે હળી મળીને રહેતો ન હતો. એટલું જ નહીં, તે પોતાની ટીમ સાથે સ્ટ્રેટેજી બનાવતો પણ જોવા મળ્યો ન હતો, જેના કારણે કંગના રનૌતે તેને ઠપકો આપ્યો હતો. તહસીનનો શો છોડતા પહેલા કંગના રનૌતે તેને ઘણું સાચું ખોટું સંભળાવ્યું હતું. કંગનાએ તહસીનને એમ પણ કહ્યું કે તે આ શોમાં સૌથી ભાગીદારી ધરાવે છે.
આજે એક બાજુ એલિમિનેશમન થશે
'લોક અપ'માં આ બીજો જજમેન્ટ એપિસોડ હતો, જેમાં તહસીન પૂનાવાલાને એલિમિનાઇટ કરાયો છે. આજે કંગનાના શોમાં વધુ એક કેદી લોકઅપમાથી બહાર થશે.. જેલમાંથી મુક્ત થનારા કેદીઓમાં કરણવીર બોહરા, પ્યાર રોહતગી અને શિવમ શર્માનો સમાવેશ થાય છે. આનાર સમયમાં કોઇ એક સ્પર્ધક તેનું ઘેરા રહસ્યને જાહેર કરીને લોકઅપ માંથી બહાર નીકળવામાંથી બચી શકે છે.
Advertisement