Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શિંદે સરકારની કેબિનેટનું વિસ્તરણ, 18 મંત્રીઓએ લીધા શપથ

40 દિવસની રાહ જોયા બાદ મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ  કેબિનેટનું  વિસ્તરણ થયું છે. ભાજપના ક્વોટામાંથી 9 મંત્રીઓએ શપથ લીધા છે. એકનાથ શિંદેની છાવણીમાંથી પણ એટલી જ સંખ્યામાં ધારાસભ્યોએ શપથ લીધા છે. પહેલા રાધાકૃષ્ણ વિખે પાટીલે શપથ લીધા અને પછી બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શપથ લીધા.મહારાષ્ટ્રમાં આજે કેબિનેટ વિસ્તરણ થયું છે જેમાં 18 મંત્રીઓએ શપથ લીધા છે તેમà
06:21 AM Aug 09, 2022 IST | Vipul Pandya
40 દિવસની રાહ જોયા બાદ મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ  કેબિનેટનું  વિસ્તરણ થયું છે. ભાજપના ક્વોટામાંથી 9 મંત્રીઓએ શપથ લીધા છે. એકનાથ શિંદેની છાવણીમાંથી પણ એટલી જ સંખ્યામાં ધારાસભ્યોએ શપથ લીધા છે. પહેલા રાધાકૃષ્ણ વિખે પાટીલે શપથ લીધા અને પછી બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શપથ લીધા.
મહારાષ્ટ્રમાં આજે કેબિનેટ વિસ્તરણ થયું છે જેમાં 18 મંત્રીઓએ શપથ લીધા છે તેમાં શિંદે જૂથ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવ-નવ પ્રધાનોનો સમાવેશ થયો છે. આ સાથે મહારાષ્ટ્રની કેબિનેટમાં સભ્યોની સંખ્યા વધીને 20 થઈ જશે, જે મહત્તમ 43 સભ્યોની સંખ્યાના અડધાથી પણ ઓછી છે.
શિંદે જૂથના મંત્રીઓમાં તાનાજી સાવંત, ઉદય સામંત, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર, શંભુરાજ દેસાઈ , સંજય રાઠોડ અને ગુલાબરાવ પાટીલનો સમાવેશ થાય છે જ્યારે ભાજપ તરફથી મંત્રી બનનારામાં  ગિરીશ મહાજન, ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર,  સુરેશ ખાડે,  રાધાકૃષ્ણ વિખે પાટીલ, અતુલ સવે,  રવિન્દ્ર ચવ્હાણ,  વિજયકુમાર ગાવિત અને  મંગલપ્રભાત લોઢાનો સમાવેશ થાય છે. 
Tags :
BJPEknathShindeGovernmentGujaratFirstMaharashtra
Next Article
Home Shorts Stories Videos