Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શરદ પવારના કેન્દ્ર સરકાર પર પ્રહાર, જાણો શા માટે કહ્યું કે પહેલા ક્યારેય આવું નથી થયું?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે વધતી જતી મોંઘવારી પર મૌન તોડતા ભાજપની કેન્દ્ર સરકારની ટીકા કરી છે. શરદ પવારે પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતો પર કહ્યું કે જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ વધી રહી છે, આ પહેલા આવું ક્યારેય નથી થયું. નરેન્દ્ર મોદી સરકાર મોંઘવારીને નિયંત્રિત કરવા કશું નથી કરતી. કાશ્મીર ફાઇલ્સ અંગે શું કહ્યું?આ સિવાય શરદ પવારે બહુ ચર્ચિત
શરદ પવારના કેન્દ્ર સરકાર પર પ્રહાર  જાણો શા માટે કહ્યું કે પહેલા ક્યારેય આવું નથી થયું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે વધતી જતી મોંઘવારી પર મૌન તોડતા ભાજપની કેન્દ્ર સરકારની ટીકા કરી છે. શરદ પવારે પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતો પર કહ્યું કે જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ વધી રહી છે, આ પહેલા આવું ક્યારેય નથી થયું. નરેન્દ્ર મોદી સરકાર મોંઘવારીને નિયંત્રિત કરવા કશું નથી કરતી. 
કાશ્મીર ફાઇલ્સ અંગે શું કહ્યું?
આ સિવાય શરદ પવારે બહુ ચર્ચિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે કાશ્મીરી પંડિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો ત્યારે ત્યાંની સરકારને ભાજપનું સમર્થન હતું. તે સમયે ત્યાં મુસ્લિમો પર પણ આવા હુમલા થયા હતા. આ બધામાં પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો. સરકારે આવી ફિલ્મો બંધ કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે જો મોદી સરકારને કાશ્મીરી પંડિતોની આટલી જ ચિંતા છે તો તેણે તેમના પુનર્વસન માટે કામ કરવું જોઈતું હતું, જે તેમણે કર્યું નથી.
કોંગ્રેસ અધ્યક્ષ પદમાં રસ નથી
જ્યારે શરદ પવારને કોંગ્રેસ અધ્યક્ષ પદ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમને કોંગ્રેસ અધ્યક્ષ પદમાં રસ નથી. આ તેમની પાર્ટીની વાત છે, આવી સ્થિતિમાં કોણ અધ્યક્ષ બનશે તે એ લોકો જ નક્કી કરશે.
બિન ભાજપ પક્ષોને એક કરો
ચૂંટણીમાં ભાજપને ઘેરવાના સવાલ પર શરદ યાદવ કહે છે કે ભાજપને હરાવવા માટે બિન-ભાજપ પક્ષોએ એક થવું પડશે. જ્યારે બધા એક થાય તો જ ભાજપને હરાવી શકાય. અત્યારે વિપક્ષ વિભાજિત છે અને તેનો ફાયદો ભાજપને મળી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.