વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત શંકર ચૌધરી અંબાજી મંદિરના દર્શને
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં પહાડોની વચ્ચે આવેલું જગતજનની જગદંબા માં અંબા નું મંદિર છે. આજથી મહાસુદ એકમ થી ગુપ્ત નવરાત્રી નો પ્રારંભ થતો હોઈ આજે અંબાજી મંદિર ખાતે દેશ-વિદેશના ભક્તો દર્શન કરવા આવ્યા હતા ત્યાà
01:48 PM Jan 22, 2023 IST
|
Vipul Pandya
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં પહાડોની વચ્ચે આવેલું જગતજનની જગદંબા માં અંબા નું મંદિર છે. આજથી મહાસુદ એકમ થી ગુપ્ત નવરાત્રી નો પ્રારંભ થતો હોઈ આજે અંબાજી મંદિર ખાતે દેશ-વિદેશના ભક્તો દર્શન કરવા આવ્યા હતા ત્યારે અંબાજી મંદિર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રથમ વખત અધ્યક્ષ બન્યા બાદ માના ચરણે શીશ ઝૂકાવવા આવ્યા હતા.
મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને અંબાજી મંદિરમાં માતાજીના આશીર્વાદ લીધા હતા. બનાસકાંઠાની મુલાકાતે આવેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બપોરે અંબાજી મંદિર ખાતે વીઆઈપી ગેટ નંબર પાંચ પર આવ્યા ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ભાઇ ગઢવી દ્વારા તેમને ખેસ પહેરાવીને સ્વાગત કરાયું હતું અને બ્રાહ્મણો દ્વારા તેમને કુમકુમ તિલક પણ કરાયું હતું.
મંદિરના દર્શન
અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેમને અંબાજી મંદિરના ગર્ભ ગૃહમાં જઈને માતાજીના આશીર્વાદ અને દર્શન કર્યા હતા.અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકર દ્વારા તેમને ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું અને તેમને માતાજીની પ્રતિમા પણ ભેટ આપવામાં આવી હતી. અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવના પણ તેમને દર્શન કર્યા હતા અને ભૈરવજીના પણ દર્શન કર્યા હતા.અંબાજી મંદિરની ગાદીમાં જઈને તેમને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું અને ભટ્ટજી મહારાજ પાસે આશીર્વાદ પણ મેળવ્યા હતા.
ગુજરાતના વિકાસની પ્રાર્થના
મીડિયા સાથેની વાતચીતમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણું ગુજરાત ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે. આજે મહા સુદ એકમ ના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને બપોરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article