Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભગવાન રામના શાસનમાં પણ સૌનો સાથ સૌનો વિકાસની પ્રેરણા: PM Modi

ભગવાન રામના (Lord Ram)જન્મસ્થળ અયોધ્યામાં (Ayodhya)રામાયણ અને રામચરિત માનસના લોકપ્રિય ભજનો, ચોપાઈઓ અને દોહા સાથે દીપોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી મોદી (Narendra Modi)અયોધ્યામાં રામલ્લાના દરબારમાં પહોંચ્યા અને તેમની પૂજા કરી. તેમની સાથે સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા  હતા . અયોધ્યા શહેરમાં લગભગ 17 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દિપોત્સવ માટે દીવાને શણàª
03:03 PM Oct 23, 2022 IST | Vipul Pandya
ભગવાન રામના (Lord Ram)જન્મસ્થળ અયોધ્યામાં (Ayodhya)રામાયણ અને રામચરિત માનસના લોકપ્રિય ભજનો, ચોપાઈઓ અને દોહા સાથે દીપોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી મોદી (Narendra Modi)અયોધ્યામાં રામલ્લાના દરબારમાં પહોંચ્યા અને તેમની પૂજા કરી. તેમની સાથે સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા  હતા . અયોધ્યા શહેરમાં લગભગ 17 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દિપોત્સવ માટે દીવાને શણગારવા માટે સવારથી જ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. અયોધ્યામાં દિવાળી પર ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન પણ કર્યું
આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું.રામલ્લાના દર્શન કરીને અયોધ્યા પરત ફરેલા ભગવાન રામનો વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પ્રતીકાત્મક રીતે રાજ્યાભિષેક કર્યો હતો. આ પછી કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યાના દરેક કણમાં ભગવાન રામનું દર્શન સમાયેલા છે.
તેમણે કહ્યું કે અયોધ્યાની રામલ્લા, સરયુ આરતી, દીપોત્સવ દ્વારા આ દર્શન આખી દુનિયામાં ફેલાઈ રહ્યા છે. પીએમે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ દિવાળીએ આપણે સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીના અમૃત કાળમાં ભગવાન રામ જેવી ઈચ્છાશક્તિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
  • દીવો પોતે બળીને અંધકારને બાળે છે, તે અગ્નિ પણ આપે છે અને આરામ પણ આપે છે.
  • આજે અયોધ્યા શહેર ભાવનાઓથી ભવ્ય છે.
  • વડાપ્રધાનશ્રી  મોદીએ પૂર્ણ ભક્તિ સાથે મા સરયૂની આરતી કરી અને તેમના આશીર્વાદ લીધા.
  •  વડાપ્રધાનશ્રી  મોદી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ પ્રસંગે સરયૂ ઘાટ પર આરતી કરી હતી.
  • ભગવાન શ્રી રામનો અભિષેક થાય છે, ત્યારે ભગવાન રામના આદર્શો અને મૂલ્યો આપણામાં વધુ મજબૂત બને છે.
  • શ્રી રામલલાના દર્શન અને પછી રાજા રામનો અભિષેક, આ સૌભાગ્ય રામજીની કૃપાથી જ મળે છે.
  • વડાપ્રધાનશ્રી મોદીએ મંચ પર પહોંચીને ભગવાન રામના પ્રતીકાત્મક સ્વરૂપનો રાજ્યાભિષેક કર્યો. આ દરમિયાન તેમની સાથે મંચ પર સીએમ યોગી પણ હાજર હતા.
  • રામલ્લાના દર્શન કર્યા બાદ પીએમ મોદીએ તેમની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમની સાથે સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હતા
Tags :
AyodhyaDiwali2022GujaratFirstNarendraModiUttarPradesh
Next Article