Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના આ નેતાને આવ્યો હાર્ટ એટેક

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 50 દિવસથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુક્રેનના શહેરોને સતત તબાહ કરી રહ્યું છે. દરમિયાન મીડિયામાં સમાચાર છે કે રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુને હાર્ટ એટેક આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિના ખૂબ જ નજીકના ગણાતા રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ લાંબા સમયથી જોવા મળતા ન
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના આ નેતાને આવ્યો હાર્ટ એટેક
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 50 દિવસથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુક્રેનના શહેરોને સતત તબાહ કરી રહ્યું છે. દરમિયાન મીડિયામાં સમાચાર છે કે રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુને હાર્ટ એટેક આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિના ખૂબ જ નજીકના ગણાતા રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ લાંબા સમયથી જોવા મળતા નથી, તેથી મીડિયામાં સમાચાર છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, રશિયાના રક્ષા મંત્રી અને પુતિનના નજીકના મિત્ર સર્ગેઈ શોઇગુ (66 વર્ષ)ને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે અને તે કુદરતી કારણોસર આવ્યો નથી. આવી સ્થિતિમાં શંકાના આધારે 20 જનરલોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શોઇગુને આ હાર્ટ એટેક કેટલીક ખોટી પદ્ધતિઓના કારણે આવ્યો છે. આ દાવો રશિયન-ઈઝરાયેલના બિઝનેસમેન લિયોનીડ નેવઝલિન દ્વારા કરવામાં આવ્યો છે. શોઇગુ 2012થી પુતિનના નજીકના સાથી છે. હુમલાની શરૂઆતમાં તે એક મુખ્ય આધાર રહ્યા હતા, પરંતુ અઠવાડિયાથી તે મોટાભાગે ગુમ હતા. બિઝનેસમેન લિયોનીડ નેવઝલિનના આ દાવાઓએ હલચલ મચાવી દીધી છે. જો તેમના દાવાઓ સાચા સાબિત થાય છે, તો તે વિમુખ રશિયન પ્રમુખ અને તેમના નજીકના સલાહકારો અને લશ્કરી નેતાઓ વચ્ચેના મોટા અણબનાવની પુષ્ટિ કરશે. નેવઝલિન એક સમયે રશિયાના સૌથી ધનાઢ્ય માણસોમાંના એક હતા, પરંતુ પુતિન અને ક્રેમલિને તેમની તેલ કંપનીને જપ્ત કરવાનું નક્કી કર્યું ત્યારે 2003માં તેમણે દેશ છોડી દીધો હતો. આવી સ્થિતિમાં તેમનો દાવો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. 
નેવઝલિને કહ્યું છે કે, શોઇગુ એક દાયકાથી પુતિનના જમણા હાથ અને રશિયન સેનાના નેતા છે. યુક્રેનમાં યુદ્ધના શરૂઆતના અઠવાડિયામાં તે મુખ્ય આધાર હતા, પરંતુ તાજેતરમાં ક્રેમલિનની નિયમિત બ્રીફિંગમાંથી તે ગાયબ થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, માર્ચના અંતમાં હુમલાની ધીમી ગતિના કારણે પુતિન અને શોઇગુ વચ્ચે તણાવની સ્થિતિ હતી. નેવઝલિને શોઇગુના હાર્ટ એટેક પર શંકા વ્યક્ત કરી છે, અને કહ્યું છે કે તે કુદરતી કારણોને લીધે થયું નથી. તેમણે તેને હત્યાનો વિષય ગણાવ્યો છે. શોઇગુને ગઈકાલે આર્કટિકના વિકાસ અંગે પુતિન અને અન્ય મંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં જોવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તેના વિશે વાત કરી ન હતી. આવી સ્થિતિમાં એવી પણ ચર્ચા છે કે આ વિડીયો પહેલાથી જ રેકોર્ડ કરવામાં આવ્યો છે અને આ ફૂટેજનો ઉપયોગ લોકોને ભ્રમિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.