Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RSS વડા મોહન ભાગવતે દિલ્હીમાં મસ્જિદની મુલાકાત કરી, જાણો ક્યા મુદ્દે થઈ ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) દિલ્હીની કસ્તુર બા માર્ગ પર આવેલી મસ્જીદની મુલાકાત કરી છે. થોડાં દિવસો પૂર્વે મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની મુલાકાત બાદ આજે તેઓ મસ્જીદમાં પહોંચી ઈમામ ઉમર ઈલિયાસી સાથે મુલાકાત કરી હતી.અગાઉ ઓગસ્ટમાં પણ ઇલ્યાસીને સંઘ પ્રમુખ મોહન ભાગવતને પણ મળ્યા હતા. તેમની વચ્ચે સાંપ્રદાયીક સૌહાર્દને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળà
12:20 PM Sep 22, 2022 IST | Vipul Pandya
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) દિલ્હીની કસ્તુર બા માર્ગ પર આવેલી મસ્જીદની મુલાકાત કરી છે. થોડાં દિવસો પૂર્વે મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની મુલાકાત બાદ આજે તેઓ મસ્જીદમાં પહોંચી ઈમામ ઉમર ઈલિયાસી સાથે મુલાકાત કરી હતી.
અગાઉ ઓગસ્ટમાં પણ ઇલ્યાસીને સંઘ પ્રમુખ મોહન ભાગવતને પણ મળ્યા હતા. તેમની વચ્ચે સાંપ્રદાયીક સૌહાર્દને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મીટિંગ વિશે વિગતો આપતા RSS પ્રચાર પ્રમુખે કહ્યું, “RSS પ્રમુખ સમાજના વિવિધ વર્ગના લોકોને મળે છે. આ સતત સંવાદ પ્રક્રિયાનો એક ભાગ છે.
ભાગવત રાષ્ટ્રઋષિ, દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહેવી જોઈએ
RSSના વડા મોહન ભાગવતને મળ્યા પછી, અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઇમામ ઉમર અહમદ ઇલ્યાસીએ કહ્યું કે, મોહન ભાગવત 'રાષ્ટ્રપિતા (રાષ્ટ્રપિતા) અને 'રાષ્ટ્ર ઋષિ' (રાષ્ટ્રના ઋષિ) છે. મીટિંગ પછી  ઇલ્યાસીએ કહ્યું, “મોહન ભાગવતને અમારી સાથે રાખવા એ સૌભાગ્યની વાત છે. ભાગવત ઈમામ હાઉસમાં મીટિંગ માટે આવ્યા હતા અને તેઓ આપણા રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રના ઋષિ છે. દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહેવી જોઈએ. આપણે બધા ભલે જુદી જુદી રીતે પૂજા કરતા હોઈએ, પરંતુ તે પહેલા આપણે બધા મનુષ્ય છીએ. અમે ભારતમાં રહીએ છીએ અને ભારતીય છીએ."તેમણે કહ્યું, "ભારત વિશ્વ ગુરુ બનવાની આરે છે અને આપણે બધાએ તેના માટે પ્રયત્ન કરવો જોઈએ."
પારિવારિક ઘટના
શું તેમણે ભાગવતને 'રાષ્ટ્રપિતા' કહ્યા છે તેવા સવાલ પર ઇલ્યાસીએ કહ્યું કે, "ચોક્કસપણે, તેઓ 'રાષ્ટ્રપિતા' છે. 'મારા પિતાનો સંઘ સાથે જૂનો સંબંધ હતો. મોહન ભાગવત જમીલ ઇલ્યાસીની પુણ્યતિથિ પર મસ્જિદમાં આવ્યા હતા. તે એક પારિવારિક ઘટના હતી અને તેને તે સંદર્ભમાં જોવી જોઈએ."
સંઘ પ્રમુખ મદરેસામાં ગયા હોય તે પ્રથમ ઘટના
RSS વડા મોહન ભાગવતે ગુરુવારે કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં મુલાકાત બાદ આઝાદ બજારની મદરેસામાં પહોંચ્યા હતા. અહીં તેઓ મદરેસાના બાળકોને મળ્યા. તેણે મદરેસાના બાળકોને પૂછ્યું કે, તેઓ શું ભણે છે. ભાગવતે બાળકો સાથે લાંબા સમય સુધી વાતચીત કરી હોય તેવી આ કદાચ પહેલી ઘટના છે જ્યારે મોહન ભાગવતે અચાનક મદરેસાની મુલાકાત લીધી હોય.
આ એક સારો પ્રયાસ છે
મદરેસામાં બેઠક બાદ RSSના ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, આ એક પ્રયાસ છે, 70 વર્ષથી લડી રહ્યા છીએ. જોડનારા લોકો મળશે તો ભાગલાં પાડનારા નબળા પડશે. હિંદુ મુસ્લીમ કરવું ખોટું છે. મોહનજી મુસ્લીમોને પહેલા મુંબઈમાં મળ્યા, બાદમાં 22 ઓગસ્ટે બુદ્ધિજીવીઓને મળ્યા બાજમાં આજનું ઈલિયાસીને ત્યાંથી પેન્ડિંગ  ઈન્વીટેશન હતુ. સુદર્શનજી પણ ઈલિયાસીના પિતાને મળવા જતા હતા.
આ પણ વાંચો - મુસ્લિમ બુદ્ધિજીવીઓના એક સમુહની સંઘ પ્રમુખ સાથે બંધબારણે બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા
Tags :
CommunalHarmonyDelhiMosqueGujaratFirstImamUmerAhmedIlyasiMohanBhagwatRSS
Next Article