ભાજપના લોકો સાથેના ગઠબંધન સામે પરિવારવાદીઓનું ‘ભેળસેળવાળું’ ગઠબંધન નહીં ટકી શકે
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પીએમ મોદી સભાઓ ગજવી રહ્યા છે. આજે પીએમ મોદીએ ચંદૌલી અને જૌનપુરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. સમાજવાદી પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 'ભેળસેળયુક્ત' ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી લોકો સાથે ગઠબંધન ધરાવે છે. તેમણે કહ્યું કે આની સામે ઉગ્ર પરિવારવાદીઓનું ગઠબંધન એક ક્ષણ માટે પણ ટકી શકત
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પીએમ મોદી સભાઓ ગજવી રહ્યા છે.
આજે પીએમ મોદીએ ચંદૌલી અને જૌનપુરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. સમાજવાદી પાર્ટીના નેતૃત્વ હેઠળના
ગઠબંધનને "ભેળસેળયુક્ત" ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે
કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી લોકો સાથે ગઠબંધન ધરાવે છે. તેમણે
કહ્યું કે આની સામે ઉગ્ર પરિવારવાદીઓનું ગઠબંધન એક ક્ષણ માટે પણ ટકી શકતું નથી. પીએમ મોદીએ સપાની આગેવાની હેઠળના ગઠબંધન પર કટાક્ષ કરતા દાવો કર્યો
કે અતિ-પરિવારવાદીઓ હજુ પણ કેટલાક રાજકારણીઓ અને માફિયાઓ સાથે જોડાણની જૂની
રાજનીતિમાં અટવાયેલા છે.
Advertisement