રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એવું રમ્યો કે પૂર્વ પાક. ખેલાડી વખાણ કરવા બન્યો મજબૂર
નાગપુરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 132 રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અશ્વિને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે શમી અને જાડેજાએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 400 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 120 રનની શાનદાર સ
નાગપુરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 132 રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અશ્વિને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે શમી અને જાડેજાએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 400 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 120 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. જ્યારે અક્ષર પટેલ અને જાડેજાએ અનુક્રમે 84 અને 70 રનનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે ભારતે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેનાથી પ્રભાવિત થઇને પાકિસ્તાનના ભૂકપૂર્વ ખેલાડી પણ તેના વખાણ કરવા માટે મજબૂર બન્યા છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જડ્ડુ કર્યું શાનદાર ઓલરાઉન્ડ્ર પ્રદર્શન
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના વખાણ કરતા મોટું નિવેદન આપ્યું છે. લગભગ પાંચ મહિના પછી ઈજામાંથી પરત ફર્યા બાદ જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કનેરિયાએ જાડેજાના વખાણ કરતા અને તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાવતા કહ્યું કે દુનિયાએ હજુ સુધી તેના જેવો ઓલરાઉન્ડર જોયો નથી. સાથે જ તેણે કહ્યું છે કે તે ટીમ ઈન્ડિયા માટે કેટલો મહત્વનો ખેલાડી છે. જણાવી દઇએ કે, રવીન્દ્ર જાડેજા બેટ અને બોલ બંને સાથે નાગપુરમાં મેન ઇન બ્લુ માટે શોનો સૌથી મોટો સ્ટાર રહ્યો હતો. ઈજાના કારણે તે લગભગ 5 મહિના પછી આવ્યો હતો. પરંતુ તેને જોઇને એક ક્ષણ માટે પણ એવું ન લાગ્યું કે તે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર ઓલરાઉન્ડ્ર પ્રદર્શન કરીને જાડેજાએ પોતાની જાતને બાકીના કરતા એક વર્ગ ઉપર સાબિત કરી છે.
પોતાની યુટ્યુબ ચેનલ પર કર્યા જાડેજાના વખાણ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ સહિત રમતમાં 7 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગમાં પણ 70 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. રોહિતે પણ મેચમાં શાનદાર સદી ફટકારી હતી અને અશ્વિને શાનદાર બોલિંગ કરી હતી પરંતુ બંને વિભાગમાં તેના કારનામા બદલ રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર દાનિશ કનેરિયા પણ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરના વખાણમાં જોડાયા છે. તેણે કહ્યું કે વિશ્વ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાથી સારો ઓલરાઉન્ડર કોઈ નથી. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા નાગપુરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ વિશે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે દાનિશ કનેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. કનેરિયાએ જાડેજા વિશે કહ્યું કે, "વિશ્વ ક્રિકેટે રવિન્દ્ર જાડેજા જેવો ઓલરાઉન્ડર જોયો નથી. તે દરેક વિભાગમાં અવ્વલ છે, પછી ભલે તે બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ હોય. તે તે પ્રકારનો ખેલાડી છે જે દરેક કેપ્ટનને પ્લેઈંગ 11માં રાખવાની ઈચ્છા હોય છે. તે સતત વિરોધીઓ પર દબાણ લાવે છે." "તે લગભગ છ મહિના સુધી ક્રિકેટ રમ્યો ન હતો, પરંતુ તેમ છતાં તેણે પોતાને સારી સ્થિતિમાં રાખ્યો હતો અને તેની ફિટનેસ પર કામ કર્યું હતું. પુનરાગમન કરવું ક્યારેય સરળ નથી, તે પણ ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે. જાડેજાએ જે રીતે મોટી ટીમ સામે પોતાની વાપસી મેચમાં પ્રભાવશાળી રહ્યો હતો તે શાનદાર હતો."
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement