Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સફેદ ચાદરથી ઢંકાયેલું રણબીરનું ઘર, પ્રવેશ કરનારાના હાથમાં ખાસ બેન્ડ

લેટેસ્ટ રિપોર્ટ મુજબ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન રણબીરના ઘર 'વાસ્તુ'માં થવા જઈ રહ્યાં છે. અગાઉ આ કપલ આરકે હાઉસમાં લગ્ન કરવાના હતા. પરંતુ લગ્નની છેલ્લી ઘડીમાં પ્લાન બદલ્યો. અગાઉ મીડિયારિપોર્ટ મુજબ આ કપલ આર. કે. હાઉસમાં લગ્ન કરવાના હતા. પરંતુ છેલ્લી ક્ષણે લગ્નનું સ્થળ બદલાઈ ગયું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું ભવ્ય રિસેપ્શન એક દિવસનું નહીં
સફેદ ચાદરથી ઢંકાયેલું રણબીરનું ઘર  પ્રવેશ કરનારાના હાથમાં ખાસ બેન્ડ
લેટેસ્ટ રિપોર્ટ મુજબ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન રણબીરના ઘર 'વાસ્તુ'માં થવા જઈ રહ્યાં છે. અગાઉ આ કપલ આરકે હાઉસમાં લગ્ન કરવાના હતા. પરંતુ લગ્નની છેલ્લી ઘડીમાં પ્લાન બદલ્યો. અગાઉ મીડિયારિપોર્ટ મુજબ આ કપલ આર. કે. હાઉસમાં લગ્ન કરવાના હતા. પરંતુ છેલ્લી ક્ષણે લગ્નનું સ્થળ બદલાઈ ગયું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું ભવ્ય રિસેપ્શન એક દિવસનું નહીં પરંતુ બે દિવસનું હશે.
લાગે છે કે આ 2022 સૌથી મોટા લગ્ન હશે તો સુરક્ષા પણ કડક રહેશે. આલિયા અને રણબીરના લગ્નનું આયોજન શાદી સ્કવોડ કંપનીને આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, 'વાસ્તુ' બિલ્ડિંગમાં આયોજિત થનારા લગ્નમાં જે લોકો ઓરેન્જ કલરનું બેન્ડ પહેરેલો હશે  તે જ લોકો એન્ટ્રી મેળવી શકશે. હજુ આ બેન્ડ કોઇને મળ્યો નથી.  જે કોઈ આ બેન્ડ નહીં પહેરે તેને ઘરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
આ રીતે, કોઈ અજાણ્યો વ્યક્તિ આલિયા-રણબીરના લગ્નમાં પહોંચી શકશે નહીં અને તેમના લગ્નની તસવીરો અથવા વીડિયો લીક કરી શકશે નહીં. આ એક પ્રકારનો વેડિંગ કોડ છે.ઈવેન્ટ કંપનીએ રણબીર કપૂરના ઘરની 'વાસ્તુ'ને પણ ચારે બાજુથી સફેદ કપડાથી ઢાંકી દીધી છે. જેથી કરીને જો કોઈ બહારથી વિડિયો કે ફોટો લેવાનો પ્રયત્ન કરે તો ના.તે લઈ શક્યો નહીં. વાહ ભાઈ વાહ શું મન છે ઈવેન્ટ કંપની. આલિયા-રણબીરના લગ્ન પહેલા શાદી સ્ક્વૉડે કેટરિના-વિકી અને ફરહાન અખ્તરના લગ્નનું આયોજન કર્યું હતું. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન રણબીરના ઘર 'વાસ્તુ'માં થવા જઈ રહ્યા છે. અગાઉ આ કપલ આરકે હાઉસમાં લગ્ન કરવા જઈ રહ્યું હતું, જો કે હાલમાં આલિયાનું વ્યસ્ત શેડ્યૂલ બની ગયું મુશ્કેલી બન્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું ભવ્ય રિસેપ્શન એક દિવસ નહીં પરંતુ બે દિવસનું હશે. 15 એપ્રિલે લગ્ન બાદ આલિયા 16 અને 17 એપ્રિલે હોટલ તાજમાં હશે. 
Advertisement
Tags :
Advertisement

.