રાકેશ ટિકૈતની ભારતીય કિસાન યુનિયનમાંથી હકાલપટ્ટી, નરેશ ટિકૈતને પણ પ્રમુખ પદેથી હટાવ્યા
ભારતીય કિસાન યુનિયન સાથે
જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. અહીંના ખેડૂતોના આંદોલનનો મુખ્ય ચહેરો એવા
રાકેશ ટિકૈતને BKUમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેમના ભાઈ નરેશ ટિકૈતને
પણ પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને રાજેશ ચૌહાણને પ્રમુખ
બનાવવામાં આવ્યા છે. BKU ના સંસ્થાપક સ્વર્ગસ્થ
ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈતની પુણ્યતિથિ નિમિત્તે BKU નેતાઓની એક મોટી બેઠક 15 મે રવિવારના રોજ લખનૌમાં શેરડી ખેડૂત સંસ્થામાં યોજાઈ હતી. જેમાં ટિકૈત ભાઈઓ વિરુદ્ધ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. . ટિકૈત
પરિવાર સામે ખેડૂતોમાં આ નારાજગી બાદ ભારતીય કિસાન યુનિયનમાં ભાગલા પડવાના સંકેત
દેખાઈ રહ્યા છે.
BKUના ઘણા સભ્યો સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતની પ્રવૃત્તિઓથી
નારાજ હતા. આ ખેડૂત નેતાઓનો આરોપ છે કે રાકેશ ટિકૈતે તેમના રાજકીય નિવેદનો અને
પ્રવૃત્તિઓથી તેમના અરાજકીય સંગઠનને રાજકીય આકાર આપ્યો છે. BKU નેતાઓની નારાજગીના સમાચાર મળતાં જ રાકેશ ટિકૈત પણ શુક્રવારે રાત્રે
તેમને મનાવવા માટે લખનઉ પહોંચ્યા હતા. જોકે, તેઓ આ પ્રયાસમાં સફળ થઈ
શક્યા ન હતા. નારાજ ખેડૂત નેતાઓનું નેતૃત્વ કરી રહેલા BKUના ઉપાધ્યક્ષ હરિનામ સિંહ વર્માના ઘરે રાકેશ ટિકૈત સંગઠનના અસંતુષ્ટ
નેતાઓને મનાવવાનો પ્રયાસ કરતા રહ્યા. જો કે આમાં સફળતા ન મળતા તે મુઝફ્ફરનગર પરત
ફર્યા હતા.