રાજપક્ષે પરિવાર માટે 9મી તારીખ બની વિલન, શા માટે દર મહિને આ દિવસે હંગામો થાય છે?
શ્રીલંકામાં છેલ્લા ચાર મહિનાની મુખ્ય રાજકીય ઘટનાઓ 9મી તારીખે જ બની હતી. પહેલો વિરોધ 9 એપ્રિલે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ શરૂ થયો હતો ત્યારબાદ 9 મેના રોજ શ્રીલંકાના તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું. 9મી જૂને નાણાપ્રધાન બાસિલ રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું અને હવે 9મી જુલાઈએ ગોટાબાયા રાજપક્ષે અને નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે પણ તેમના ર
શ્રીલંકામાં છેલ્લા ચાર મહિનાની મુખ્ય રાજકીય ઘટનાઓ 9મી તારીખે જ બની હતી. પહેલો વિરોધ 9 એપ્રિલે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ શરૂ થયો હતો ત્યારબાદ 9 મેના રોજ શ્રીલંકાના તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું. 9મી જૂને નાણાપ્રધાન બાસિલ રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું અને હવે 9મી જુલાઈએ ગોટાબાયા રાજપક્ષે અને નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે પણ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. શ્રીલંકા હાલમાં ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશના લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. લાગે છે કે 9મી તારીખ શ્રીલંકા માટે મુસીબત સમાન બની ગઇ છે. છેલ્લા ચાર મહિનાથી સતત 9ની તારીખનો દિવસ આ દેશ માટે નવી મુશ્કેલી લઈને આવી રહ્યો છે.
Advertisement
Photo of the day - An old lady protestor sitting on Sri Lanka’s Strongman’s Chair inside Sri Lanka’s Presidential Palace! pic.twitter.com/P3eCbb8kzp
— Ashok Swain (@ashoswai) July 9, 2022
લાખો લોકો રસ્તાપર આવ્યાં અને રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલય સામે તેમના રાજીનામાની માંગણી સાથે સૌ પ્રથમ 9 એપ્રિલના રોજ દેખાવો શરૂ થયા હતા. આ પછી 9 મેના રોજ શ્રીલંકાના તત્કાલીન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, 9 જૂને નાણા પ્રધાન બાસિલ રાજપક્ષેએ રાજીનામું આપ્યું અને હવે 9 જુલાઈએ, ગોટાબાયા રાજપક્ષે સાથે, નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પણ તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જો કે તે પહેલાં જ લોકજુવાળ ફાટી નીકળ્યો. લાખો લોકો રસ્તાપર આવ્યાં અને રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી દીધો હતો.
OMG Sri Lanka!! 😍
What an amazing nation. 💪#SriLankaProtests pic.twitter.com/SJ9mz2ltKn— Mariam's Madness (@MaddyWithKhan) July 9, 2022
Advertisement
Video - #WWE Wrestling on Prime Minister's bed at Temple Trees 😃#LKA #SriLanka #SriLankaCrisis #SriLankaProtests pic.twitter.com/5f2zE9uqLD
— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 10, 2022
9મીએ જ લેવાયેલા મોટા નિર્ણયો
શ્રીલંકામાં વધતી જતી આર્થિક કટોકટી પછી પ્રથમ મોટો રાજકીય પરિવર્તન 9 મેના રોજ થયો હતો. આ દિવસે તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. એક મહિના જેટલો સમય પસાર થતાં નાણાપ્રધાન બાસિલ રાજપક્ષેને પણ પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું. આ પછી 9 જુલાઈ એટલે કે શનિવારે તો વિદ્રોહીઓએ તમામ સીમાઓ તોડી નાખી હતી. 9 જુલાઈના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમનું નિવાસસ્થાન છોડવું પડ્યું હતું અને તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. તે જ સમયે, સાંજ સુધીમાં શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પણ શરતી રાજીનામું આપવાનું કહ્યું. દરમિયાન, વિક્રમસિંઘે કેબિનેટના બે મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. હરિન ફર્નાન્ડો અને માનુષ નાનાયક્કારાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું આપ્યું
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ પોતાનું રાજીનામું આપ્યું શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ શનિવારે રાત્રે આ માહિતી આપી હતી. શનિવારે સાંજે સર્વપક્ષીય નેતાઓની બેઠક બાદ અભયવર્ધનેએ રાજીનામું માંગતો પત્ર લખ્યા બાદ રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સંસદના અધ્યક્ષને આ નિર્ણય વિશે જાણ કરી હતી. અભયવર્ધનેએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે રાજપક્ષેને પત્ર લખ્યો હતો.
અભયવર્ધનેને કાર્યકારિણી પ્રમુખ બનાવાયા
પક્ષના નેતાઓએ રાજપક્ષે અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેના તાત્કાલિક રાજીનામાની હાકલ કરી, જ્યાં સુધી સંસદના ઉત્તરાધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી અભયવર્ધનેને કાર્યકારિણી પ્રમુખ બનવા કહેવાયું છે. વિક્રમસિંઘે પહેલા જ રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. રાજપક્ષેએ અભયવર્ધનેના પત્રનો જવાબ આપતા કહ્યું કે તેઓ 13 જુલાઈએ રાજીનામું આપશે.
અત્યાર સુધીનો સૌથી મોટો વિરોધ
રાષ્ટ્રપતિ અને પીએમના ઘરમાં પ્રદર્શનકારીઓનો આ પ્રકારનો પ્રવેશ શ્રીલંકામાં અત્યાર સુધીનો સૌથી મોટો વિરોધ છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવનના તાળા તોડીને હંગામો પણ કર્યો હતો. આ સિવાય ગાલે, કેન્ડી અને મતારામાં પણ પ્રદર્શનકારીઓએ રેલવે અધિકારીઓ સાથે ઘર્ષણ કર્યું અને તેમને કોલંબો સુધી ટ્રેનો ચલાવવાની ફરજ પાડી. સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સેના તૈનાત કરવામાં આવી છે.
શ્રીલંકામાં ફોરેક્સની અછત
શ્રીલંકા હાલમાં મોટી આર્થિક ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. 22 કરોડની વસ્તી ધરાવતો દેશ સાત દાયકાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની ભારે અછત છે, જેના કારણે દેશ ઇંધણ અને અન્ય જીવન જરુરી આવશ્યક ચીજવસ્તુઓની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે. જેના કારણે મોટો લોકજુવાળ ફાટી નીકળ્યો છે.