Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ ? ED રાહુલ ગાંધીની કેમ કરી રહી છે પૂછપરછ ?

10 વર્ષ પહેલા ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં આ દિવસોમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોમવારે તેને 9 કલાક EDની ઓફિસમાં બેસવું પડ્યું હતું અને હવે મંગળવારે પણ બે રાઉન્ડમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDના અધિકારીઓ લંચ પહેલા સાડા ચાર કલાક સુધી રાહુલ ગાંધીને પ્રશ્નો પૂછતા રહ્યા. એક કલાકનું à
02:11 PM Jun 14, 2022 IST | Vipul Pandya
10 વર્ષ પહેલા ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં આ દિવસોમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોમવારે તેને 9 કલાક EDની ઓફિસમાં બેસવું પડ્યું હતું અને હવે મંગળવારે પણ બે રાઉન્ડમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDના અધિકારીઓ લંચ પહેલા સાડા ચાર કલાક સુધી રાહુલ ગાંધીને પ્રશ્નો પૂછતા રહ્યા. એક કલાકનું લંચ આપવામાં આવ્યું અને રાહુલ ગાંધી પરત ફર્યા ત્યારે પ્રશ્નોનો સિલસિલો ચાલુ રહ્યો. હકીકતમાં નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત પંડિત જવાહરલાલ નેહરુએ કરી હતી. આ માટે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપનીની પણ રચના કરવામાં આવી હતી.
આરોપ છે કે કોંગ્રેસ દ્વારા 1930માં બનેલી આ કંપનીને 90 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી અને તેની માલિકી છીનવી લેવામાં આવી હતી. AJLની નેટવર્થ રૂ. 2,000 કરોડની નજીક છે અને તે યંગ ઇન્ડિયા લિમિટેડ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી, જેમાંથી 38 ટકા રાહુલ ગાંધી પાસે છે અને એટલી જ રકમ સોનિયા ગાંધી પાસે છે. આ સિવાય બાકીના શેર કોંગ્રેસના અન્ય નેતાઓ પાસે હતા. કોર્ટના દસ્તાવેજો અનુસાર, દેવાથી ડૂબી ગયેલી AJLએ નેશનલ હેરાલ્ડ સહિત તેના તમામ પ્રકાશનો બંધ કરી દીધા હતા. તે સમયે કોંગ્રેસ પર 90 કરોડની લોન હતી, જે તેમને સમયાંતરે વ્યાજમુક્ત લોનના રૂપમાં આપવામાં આવતી હતી.
એજેએલને 2010માં યંગ ઈન્ડિયા દ્વારા હસ્તગત કરવામાં આવી હતી
કોંગ્રેસ નેતાઓની માલિકીની કંપની યંગ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 2010માં કંપની હસ્તગત કરવામાં આવી હતી. યંગ ઈન્ડિયા લિમિટેડને કંપની એક્ટની કલમ 25 હેઠળ સામેલ કરવામાં આવી હતી, જે હેઠળ તેને બિન-લાભકારી કંપની જાહેર કરવામાં આવી હતી અને તે તેના શેરધારકોને ડિવિડન્ડ ચૂકવી શકતી ન હતી. તેમનો એકમાત્ર હેતુ તેમના ઉદ્દેશ્યની પરિપૂર્ણતા હતો, જેને તેમણે નોંધણી દરમિયાન કલા, સાહિત્ય, રમતગમત અને સામાજિક વિકાસને પ્રોત્સાહન તરીકે વર્ણવ્યું હતું. આ મામલામાં કોંગ્રેસનો એવો પણ આરોપ છે કે રાજકીય પક્ષ નફો કમાવવાના હેતુથી કામ કરતી નાણાકીય સંસ્થાને કેવી રીતે લોન આપી શકે છે.
ED સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કેમ કરી રહી છે?
ઇડીના સૂત્રોનું કહેવું છે કે યંગ ઇન્ડિયા લિમિટેડના 76 ટકા શેર એકલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે છે. આથી તેને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે એજન્સીએ સોનિયા ગાંધીને પણ 23 જૂને દિલ્હી સ્થિત ઓફિસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે કોંગ્રેસનો સવાલ એ છે કે આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ કેવી રીતે થઈ શકે. સોનિયા અને રાહુલ ગાંધી પહેલા ED આ કેસમાં મલ્લિકાર્જુન ખડગેની પણ પૂછપરછ કરી ચૂકી છે.
Tags :
edGujaratFirstrahulgandhiSoniaGandhi
Next Article