Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કવીન એલિઝાબેથ દ્વિતીયને અંતિમ વિદાય, સેન્ટ જ્યોર્જ ચેપલના શાહી વોલ્ટમાં પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો

કવીન એલિઝાબેથ દ્વિતીયને અંતિમ વિદાય આપતા તાબૂતને વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલમાં લાવવામાં આવ્યું છે. અહીં શાહી ‘વોલ્ટ’ (શવગૃહ)માં નીચે રાખવામાં આવ્યું છે. શાહી પરિવારમાં સૌથી વરિષ્ઠ અધિકારી લોર્ડ ચેમ્બરલેને ‘રાજદંડ’ તોડવાની વિધિ પૂરી કરી છે. શાહી પરિવાર અને હજારોની સંખ્યામાં લોકોએ મહારાણીને અંતિમ વિદાય આપી છે.મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું તાબૂત રાજકીય અંતિમસંસ્કાર મા
12:15 PM Sep 19, 2022 IST | Vipul Pandya

કવીન એલિઝાબેથ દ્વિતીયને અંતિમ વિદાય આપતા તાબૂતને વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલમાં લાવવામાં આવ્યું છે. અહીં શાહી ‘વોલ્ટ’ (શવગૃહ)માં નીચે રાખવામાં આવ્યું છે. શાહી પરિવારમાં સૌથી વરિષ્ઠ અધિકારી લોર્ડ ચેમ્બરલેને ‘રાજદંડ’ તોડવાની વિધિ પૂરી કરી છે. શાહી પરિવાર અને હજારોની સંખ્યામાં લોકોએ મહારાણીને અંતિમ વિદાય આપી છે.

મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું તાબૂત રાજકીય અંતિમસંસ્કાર માટે લંડનના વેસ્ટમિંસ્ટર એબે બહાર પહોંચ્યુ છે. અહીં થોડીવારમાં રાજકીય સન્માન સાથે તેમનો અંતિમસંસ્કાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત દુનિયાભરના અંદાજે 500 નેતા અને શાહી પરિવારના લોકો સામેલ થયા છે.


વિન્ડસરના ડીને શ્રદ્ધાંજલિ આપી

આ પહેલાં વિન્ડસરના ડીન ડેવિડ કોન્નરે મહારાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે મહારાણીને અંતિમ વિદાય આપવા માટે આવેલા 800 જેટલા લોકોને મહારાણીની ઇસાઇ ધર્મ પ્રત્યેની આસ્થા વિશે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ‘આપણી ઝડપથી અને ઘણીવાર સંકટથી ઘેરાયેલી દુનિયામાં તેમની શાંત તથા ગરિમાપૂર્ણ હાજરીથી આપણને તેમની જેમ સાહસ અને આશા સાથે ભવિષ્યનો સામનો કરવાની તાકાત મળશે...’

કવીન  એલિઝાબેથનું કોફીન  વિન્ડસર કેસલમાં રોયલ વોલ્ટમાં ઉતારવામાં આવ્યું.

કવીનની અંતિમવિધિ શરૂ 

કવીનની અંતિમવિધિ શરૂ થઈ ગઈ છે. વેસ્ટમિન્સ્ટરના ડીન ડેવિડ હોયલ અંતિમ સંસ્કારનું નેતૃત્વ કરી રહ્યા છે. કેન્ટરબરીના આર્કબિશપ, જસ્ટિન વેલ્બી, ઉપદેશ આપશે અને પ્રશંસા કરશે. યોર્કના આર્કબિશપ, વેસ્ટમિન્સ્ટરના કાર્ડિનલ આર્કબિશપ, ચર્ચ ઑફ સ્કોટલેન્ડની જનરલ એસેમ્બલીના મધ્યસ્થીઓ અને ફ્રી ચર્ચના મધ્યસ્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવશે.


આર્કબિશપનો ઉપદેશ

કેન્ટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બી, ધ લોર્ડ્સ માય શેફર્ડ, ઉપદેશ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મહારાણી જેટલો પ્રેમ બહુ ઓછા નેતાઓને જ મળ્યો છે.

કોફિનને અંતિમવિધિ પછી વેસ્ટમિન્સ્ટર એબીમાંથી બહાર કાઢવામાં આવ્યું

રાણી એલિઝાબેથ દ્વિતિયના તાબુતને અંતિમવિધિ પછી વેસ્ટમિન્સ્ટર એબીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. રાણી એલિઝાબેથ II ની અંતિમવિધિ પૂર્ણ થઈ છે અને સ્વર્ગસ્થ ક્વિન એલિઝાબેથની શબપેટી હવે વેસ્ટમિંસ્ટર એબેમાંથી બહાર લઈ જવામાં આવી રહી છે. તે લંડન થઈને વેલિંગ્ટન આર્ક જશે, જ્યાંથી રાણીને દફનવિધિ માટે વિન્ડસર લઈ જવામાં આવશે.

Tags :
coffinarrivesGujaratFirstQueen'sfinalQueenElizabethWestminsterAbbey
Next Article