જીભનો સ્વાદ પૂરો પાડતા વડપાઉં એક સમયે મિલ કામદારોનું ભરતું હતું પેટ
મહારાષ્ટ્રમાં(Maharashtra) જન્મેલી આ વાનગી વિશ્વમાં પ્રખ્યાત છે. વડપાઉંએ આપણામાંના દરેકનો વીક પોઇન્ટ બની ગયો છે. આપણને ઘણીવાર ડૉક્ટરો અથવા જીમ ટ્રેનર્સ(gym trainer) વડપાઉંને આહાર તરીકે બંધ કરવાની સલાહ આપે છે. વડાપાઉં આપણા માટે એક એક વ્યસન જેવું થઇ ગયું છે. પેટ ભરતા વડાપાઉં હજુ પણ ઘણા લોકો માટે આવકનો સ્ત્રોત છે. આ વડાપાઉં એક સમયે મિલ કામદારોનું પેટ ભરતું હતું.મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંàª
મહારાષ્ટ્રમાં(Maharashtra) જન્મેલી આ વાનગી વિશ્વમાં પ્રખ્યાત છે. વડપાઉંએ આપણામાંના દરેકનો વીક પોઇન્ટ બની ગયો છે. આપણને ઘણીવાર ડૉક્ટરો અથવા જીમ ટ્રેનર્સ(gym trainer) વડપાઉંને આહાર તરીકે બંધ કરવાની સલાહ આપે છે. વડાપાઉં આપણા માટે એક એક વ્યસન જેવું થઇ ગયું છે. પેટ ભરતા વડાપાઉં હજુ પણ ઘણા લોકો માટે આવકનો સ્ત્રોત છે. આ વડાપાઉં એક સમયે મિલ કામદારોનું પેટ ભરતું હતું.
Advertisement
મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈ(Mumbai)માં, ગલી ગલીમાં એક પ્રખ્યાત વડાપાઉં વાળા છે. આ રીતે દાદર સ્ટેશનની(Dadar station) બહાર અશોક વૈદ્યની લારી પર પ્રથમ વડપાઉ તળવામાં આવ્યું હતું . તેમજ સુધાકર મ્હાત્રેએ પણ દાદરમાં(Dadar) જ વડાપાઉંની શરૂઆત કરી હતી. હવે બટાકાની ભાજી અને પોલીના લાક્ષણિક મરાઠા ભોજનના (Maratha food)વિકલ્પ તરીકે, વડાપાઉંનો જન્મ થયો અને દરેક વ્યક્તિની જીભ પર તેનો સ્વાદ રહી ગયો.આ વડપાઉની ખાસિયત એ છે કે ગરીબોથી(poor) લઈને અમીર સુધી દરેકને તેનો સ્વાદ પસંદ છે. જો કે વડાપાઉંની કિંમત સમયની સાથે વધતી ગઈ, જ્યારે વડાપાઉંનો જન્મ થયો ત્યારે તે માત્ર 10 પૈસામાં ઉપલબ્ધ હતો.આજે તેની કિંમત 15 રૂપિયા થી લઇ ને 50 રૂપિયાની થઇ ગઈ છે.
મુંબઈ અને ટેક્સટાઈલ મિલો વચ્ચે એક સમયે અતૂટ સંબંધ હતો. વડાપાઉં અને મુંબઈ વચ્ચેના નવા સંબંધનો આ દોર હતો. વડાપાઉંને ગોરેગાવ એટલે કે મુંબઈના દાદર, લાલબાગ, પરેલ અને ગોરેગાવ વિસ્તારોમાં મિલ કામદારોને કારણે વડાપાઉંની લોકપ્રિયતા વધી. મિલો બંધ થયા પછી વડાપાઉંથી મિલ કામદારોનું પેટ ભરવાનું શરૂ થયું. મિલો બંધ થયા પછી ઘણા મિલ કામદારોના બાળકોએ વડાપાઉં ઉદ્યોગમાંથી પોતાનું જીવનનિર્વાહ ચલાવવાનું શરુ કર્યું. આજે પણ આ વડાપાઉં ઘણા લોકોના પેટનો સહારો છે.