Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રિન્સ ચાર્લ્સની ચેરિટી પર લાદેન પરિવાર પાસેથી 9 કરોડ દાન પેટે લેવાનો આરોપ

બ્રિટનના બ્રિટનના રાજકુમાર પ્રિન્સ ચાર્લ્સ એક આર્થિક ગોટાળાના વિવાદમાં આવ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની ચેરિટી સંસ્થા દ્વારા કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી 1 મિલિયન પાઉન્ડ 9.34 કરોડ રુપિયાનું દાન લેવામાં આવ્યા હતા. ધ પ્રિન્સ ઓફ વેલ્સ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આટલી મોટી રકમ બકર અને શફીક બિન લાદેન નામના બે લોકો પાસેથી મળી હતી. જે વલ્ર્ડ ટ્રà«
પ્રિન્સ ચાર્લ્સની ચેરિટી પર લાદેન પરિવાર પાસેથી 9 કરોડ દાન પેટે લેવાનો આરોપ

બ્રિટનના બ્રિટનના રાજકુમાર પ્રિન્સ ચાર્લ્સ એક આર્થિક ગોટાળાના વિવાદમાં આવ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની ચેરિટી સંસ્થા દ્વારા કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનના પરિવાર પાસેથી 1 મિલિયન પાઉન્ડ 9.34 કરોડ રુપિયાનું દાન લેવામાં આવ્યા હતા. ધ પ્રિન્સ ઓફ વેલ્સ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આટલી મોટી રકમ બકર અને શફીક બિન લાદેન નામના બે લોકો પાસેથી મળી હતી.

Advertisement

જે વલ્ર્ડ ટ્રેડ સેન્ટરમાં થયેલા હુમલાના માસ્ટર માઇન્ડ બિન લાદેનના સાવકા ભાઇઓ છે.  ધ સંડે ટાઇન્સના એક અહેવાલ અનુસાર આ નાણા પ્રિન્સે 2013માં કલેરેંસ હાઉસમાં બકર સાથેની એક ખાનગી મુલાકાત દરમિયાન સ્વીકાર્યા હતા. જો આ સાબીત થશે તો શાહી પરીવાર માટે ખૂબજ શરમજનક ગણાશે જો કે શાહી પરીવાર દ્વારા આ સમગ્ર વાતને નકારી કાઢવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રિન્સ આ પહેલા પણ કતાર દેશના એક વિવાદાસ્પદ નેતા પાસેથી નોટો ભરેલી સૂટકેસ લેતા વિવાદમાં આવ્યા હતા. આ સૂટકેસમાં 1 મિલિયન યૂરો હતા. આ નાણા પણ તેમણે કલેરેંસ હાઉસમાં વન ટૂ વન મીટિંગ દરમિયાન લીધા હતા એવો અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.