રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂનો દેશને પહેલો સંદેશ, અહીં વાંચો તેમાના સંબોધનની ખાસ વાતો
આઝાદીની 75મી વર્ષગાંઠના એક દિવસ પહેલા આજે દેશની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહેલી વખત દેશને સંબોધિત કરી રહી છે.. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, '76માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ હું ભારત અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. 14 ઓગસ્ટને પાર્ટીશન-હોરર્સ રિમેમ્બરન્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ સામાજિક સં
02:44 PM Aug 14, 2022 IST
|
Vipul Pandya
આઝાદીની 75મી વર્ષગાંઠના એક દિવસ પહેલા આજે દેશની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહેલી વખત દેશને સંબોધિત કરી રહી છે.. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, "76માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ હું ભારત અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. 14 ઓગસ્ટને પાર્ટીશન-હોરર્સ રિમેમ્બરન્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ સામાજિક સંવાદિતા, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે.
તેમણે કહ્યું કે 15 ઓગસ્ટ, 1947ના રોજ આપણે ઓપનિવેશક શાસનની બેડીઓ કાપી નાખી હતી. જ્યારે આપણે તે શુભ દિવસની વર્ષગાંઠ ઉજવીએ છીએ, ત્યારે અમે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરીએ છીએ. તેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું જેથી આપણે બધા સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકીએ.
તેમણે કહ્યું કે મોટાભાગના લોકશાહી દેશોમાં મહિલાઓને મતાધિકાર મેળવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આપણા પ્રજાસત્તાકની શરૂઆતથી જ ભારતે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અપનાવ્યો હતો.
આ ઉત્સવ ભારતના લોકોને સમર્પિત છે, તેમણે કહ્યું હતું કે, દાંડી યાત્રાની યાદને પુનર્જીવિત કરીને માર્ચ 2021 માં 'આઝાદી કા અમૃત મહોત્સવ' શરૂ કરવામાં આવ્યો હતો. યુગઘડતરની એ ચળવળે આપણા સંઘર્ષને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યો. આ તહેવારની શરૂઆત તેમના સન્માનથી કરવામાં આવી હતી. આ તહેવાર ભારતના લોકોને સમર્પિત છે.
Next Article