Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PMJJBY અને PMSBY યોજનામાં 7 વર્ષમાં પ્રથમ વખત પ્રીમિયમની રકમ વધી

સરકારે તેની મુખ્ય વીમા યોજનાઓ - પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) માટે પ્રીમિયમ વધાર્યું છે. સરકારે સાત વર્ષમાં પ્રથમ વખત આ નિર્ણય લીધો છે. PMJJBY નો પ્રીમિયમ દર વધારીને રૂ.1.25 પ્રતિ દિવસ કરવામાં આવ્યો છે. આ રીતે તે વાર્ષિક રૂ. 330 થી વધીને રૂ. 436 થઇ ગયો છે. તે જ સમયે, PMSBY માટે વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. નવા પ્રીમિ
04:09 PM May 31, 2022 IST | Vipul Pandya
સરકારે તેની મુખ્ય વીમા યોજનાઓ - પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) માટે પ્રીમિયમ વધાર્યું છે. સરકારે સાત વર્ષમાં પ્રથમ વખત આ નિર્ણય લીધો છે. PMJJBY નો પ્રીમિયમ દર વધારીને રૂ.1.25 પ્રતિ દિવસ કરવામાં આવ્યો છે. આ રીતે તે વાર્ષિક રૂ. 330 થી વધીને રૂ. 436 થઇ ગયો છે. તે જ સમયે, PMSBY માટે વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. નવા પ્રીમિયમ દરો 1 જૂન, 2022થી લાગુ થશે. આ રીતે PMJJBY નું પ્રીમિયમ 32 ટકા અને PMSBYનું 67 ટકા વધ્યું છે. આ યોજના હેઠળ કરવામાં આવેલા દાવાઓના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો.
PMJJBY અને PMSBY હેઠળ સક્રિય સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા છેલ્લા નાણાકીય વર્ષના અંત સુધી એટલે કે 31 માર્ચ 2022 સુધી અનુક્રમે 6.4 કરોડ અને 22 કરોડ હતી. અમે તમને જણાવી દઈએ કે PMSBYની શરૂઆતથી લઈને 31 માર્ચ, 2022 સુધી પ્રીમિયમ તરીકે 1,134 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી છે અને 2,513 કરોડ રૂપિયાના દાવા ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત, PMJJBY હેઠળ પ્રીમિયમ તરીકે 9,737 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી હતી અને 14,144 કરોડ રૂપિયાના દાવા ચૂકવવામાં આવ્યા હતા.
ભારતને સંપૂર્ણ વીમાધારિત સમાજ બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને, PMJJBY હેઠળનો કવરેજ આગામી પાંચ વર્ષમાં 6.4 કરોડથી વધારીને 15 કરોડ અને PMSBY કવરેજ 22 કરોડ કરવામાં આવ્યો છે, એમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે. વધારીને 37 કરોડ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 4 લાખ સુધીનું વીમા કવચ: PMJJBY બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતું ધરાવતા 18-50 વર્ષની વય જૂથના લોકોને કોઈપણ કારણોસર મૃત્યુના કિસ્સામાં રૂ. 2 લાખનું જીવન વીમા કવચ આપે છે. બીજી તરફ, PMSBY, આકસ્મિક મૃત્યુ અથવા કુલ કાયમી અપંગતા માટે રૂ. 2 લાખ અને 18-70 વર્ષની વય જૂથના લોકોને આંશિક કાયમી અપંગતા માટે રૂ. 1 લાખનું વીમા કવચ પ્રદાન કરે છે.
Tags :
GujaratFirstModigovtPMJJBYPMSBYschemepremium
Next Article