Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગ્યે કરશે 'પરીક્ષા પે ચર્ચા'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ, તેમના શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે. પરિક્ષા પે ચર્ચાની પાંચમી આવૃત્તિ ટાઉન હોલ ખાતે ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે સવારે 11 વાગ્યે શરૂ થશે.કોરોના મહામારી પછી શાળાઓ ખોલવા અને ઑફલાઇન પરીક્ષાઓ વચ્ચે આ વખતની પરીક્ષા પરની ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદà
02:53 AM Apr 01, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ, તેમના શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે. પરિક્ષા પે ચર્ચાની પાંચમી આવૃત્તિ ટાઉન હોલ ખાતે ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે સવારે 11 વાગ્યે શરૂ થશે.
કોરોના મહામારી પછી શાળાઓ ખોલવા અને ઑફલાઇન પરીક્ષાઓ વચ્ચે આ વખતની પરીક્ષા પરની ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, આ વર્ષે પરીક્ષા પર ચર્ચાનો ઉત્સાહ અભૂતપૂર્વ રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, આ વર્ષે પરીક્ષા અંગેની ચર્ચા પ્રત્યે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે. લાખો બાળકોએ તેમની મૂલ્યવાન ટીપ્સ અને અનુભવો શેર કર્યા છે. આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો હું આભાર માનું છું. આપ સૌ 1 એપ્રિલના આ કાર્યક્રમની રાહ જોતા હશો. તેમના ટ્વિટમાં, વડાપ્રધાને તેમની યુટ્યુબ ચેનલ પર અગાઉની પરીક્ષા પે ચર્ચાનો વીડિયો શેર કર્યો છે.
પરીક્ષા પર ચર્ચા દરમિયાન, બાળકો, તેમના માતા-પિતા અને શિક્ષકો તેમની તમામ મૂંઝવણ સાથે સંબંધિત પ્રશ્નો વડાપ્રધાન મોદીને પૂછી શકશે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દૂરદર્શનની વિવિધ ચેનલો, ઓલ ઈન્ડિયા રેડિયો, ટીવી ચેનલો, યુટ્યુબ પર પ્રસારિત થશે. વિવિધ મુદ્દાઓ પર આધારિત ઓનલાઈન સર્જનાત્મક લેખન સ્પર્ધાના આધારે પ્રશ્નકર્તાઓની પસંદગી કરવામાં આવી છે.
આ સ્પર્ધા માટે 15.7 લાખ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 12.1 લાખથી વધુ વિદ્યાર્થીઓ, 2.7 લાખ શિક્ષકો અને 90 હજારથી વધુ વાલીઓ સામેલ હશે. ગુજરાતથી 30 વાલીઓ સાથે વડાપ્રધાન ચર્ચા કરશે જેમાં નવસારીના વાલી સાથે વડાપ્રધાન ચર્ચા કરશે. 
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, પરિક્ષા પે ચર્ચા એ ખુબ જ પ્રચલિત વાર્ષિક કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે. આ સાથે તેઓ પરીક્ષા દરમિયાન તણાવથી દૂર રહેવાના ઉપાયો પણ સમજાવે છે. પરીક્ષા પરની ચર્ચાને એક જન આંદોલન ગણાવતા પ્રધાને કહ્યું કે આ વખતના કાર્યક્રમનું મહત્વ એટલા માટે પણ વધુ છે કારણ કે દેશ કોરોનામાંથી બહાર આવી ગયો છે.
Tags :
GujaratFirstNarendraModiParikshaPeCharchaPMModi
Next Article