ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

PM મોદી આજે હનુમાન જયંતિ પર 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે

હનુમાન જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. વડાપ્રધાન કાર્યાલય વતી માહિતી સાર્વજનિક કરતી વખતે જણાવવામાં આવ્યું કે, “હનુમાન જયંતિ નિમિત્તે વડાપ્રધાન આવતીકાલે ગુજરાતના મોરબીમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. 4 ધાàª
02:07 AM Apr 16, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
હનુમાન જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. 
વડાપ્રધાન કાર્યાલય વતી માહિતી સાર્વજનિક કરતી વખતે જણાવવામાં આવ્યું કે, “હનુમાન જયંતિ નિમિત્તે વડાપ્રધાન આવતીકાલે ગુજરાતના મોરબીમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. 4 ધામ પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં ચારેય દિશામાં સ્થાપિત ચાર મૂર્તિઓમાંથી આ બીજી મૂર્તિ છે. આજે વડાપ્રધાન સવારે 11 વાગ્યે મોરબી જિલ્લામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા મોરબીમાં બાપુ કેશવાનંદના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશભરમાં ભગવાન હનુમાનના ચાર ધામ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં સ્થાપિત થનારી આ બીજી પ્રતિમા છે. પ્રથમ પ્રતિમા 2010માં શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. વળી, દક્ષિણમાં રામેશ્વરમમાં આવી જ એક પ્રતિમાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

Tags :
GujaratGujaratFirstHanumanJayantimorbiPMModi