Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ રેસલર પૂજાને પ્રોત્સાહન આપ્યું, પાકિસ્તાની પત્રકારના ફેન બન્યાં

કોમનવેલ્થ ગેમ્સની રેસલિંગ મેચમાં પૂજા ગેહલોત ગોલ્ડ મેડલ મેચ હારી ગઈ હતી અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આનાથી પૂજા ખૂબ જ નિરાશ થઈ ગઈ અને તેણે સોનું ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી  દરેક રમતોમાં ભાગ લેતા ખેલાડીઓ સાથે વાત કરે છે. વિજેતાઓને અભિનંદન અને હારનારાઓને પ્રોત્સાહિત કર્યા છે. ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવતકોમનવેલ્થ ગેમ્સમાં
11:17 AM Aug 07, 2022 IST | Vipul Pandya
કોમનવેલ્થ ગેમ્સની રેસલિંગ મેચમાં પૂજા ગેહલોત ગોલ્ડ મેડલ મેચ હારી ગઈ હતી અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આનાથી પૂજા ખૂબ જ નિરાશ થઈ ગઈ અને તેણે સોનું ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી  દરેક રમતોમાં ભાગ લેતા ખેલાડીઓ સાથે વાત કરે છે. વિજેતાઓને અભિનંદન અને હારનારાઓને પ્રોત્સાહિત કર્યા છે. 

ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત
કોમનવેલ્થ ગેમ્સમાં પણ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આને લઈને પાકિસ્તાની પત્રકાર પીએમ મોદીનો ફેન બની ગયો છે. આ પત્રકારે ટ્વિટ કરીને પોતાના દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા બદલ પીએમ મોદીની પ્રશંસા કરી છે. આ સાથે જ તેણે પોતાના દેશના નેતાઓ પર પણ સવાલો ઉઠાવ્યા છે. ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત છે. અત્યારસુધીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત પર ખેલાડીઓ તરફથી 43 મેડલોનો વરસાદ થઇ ચૂક્યો છે.
PMએ પૂજા ગેહલોતને પ્રોત્સાહિત કર્યા હતા
વાસ્તવમાં કોમનવેલ્થ ગેમ્સની કુસ્તી મેચમાં પૂજા ગેહલોત ગોલ્ડ મેચ હારી ગઈ અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. આનાથી પૂજા ખૂબ જ નિરાશ થઈ ગઈ અને તેને ગોલ્ડ ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે આગામી વખતે તે ગોલ્ડ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પૂજા જ્યારે આ રીતે દુખી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ તેને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ટ્વિટ પર લખ્યું કહ્યું કે પૂજા, તારો મેડલ અમારા માટે આનંદ છે, દુઃખનો નથી. તમારી જીવનયાત્રા અમને પ્રેરણા આપે છે. અમે તમારી સફળતાનો આનંદ માણીએ છીએ. તમે હજુ પણ તમારા જીવનમાં વધુ સફળતા મેળવતા રહો .
આ સવાલ તમારા પીએમ-પ્રેસિડેન્ટને પૂછ્યો
પીએમ મોદીના આ મુદ્દાને ટાંકીને પાકિસ્તાની પત્રકાર શિરાઝ હસને ટ્વીટ કર્યું છે. પાકિસ્તાની નેતાઓ પર સવાલ ઉઠાવતા શિરાઝે લખ્યું છે કે શું આપણા દેશના નેતાઓને ખબર છે કે આપણા કયા ખેલાડીઓ મેડલ જીતી રહ્યા છે? શિરાઝે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ભારતના લોકો આ રીતે પોતાના એથ્લેટ્સનો ઉત્સાહ વધારે છે. પૂજાને ગોલ્ડ ન જીતવાનો અફસોસ હતો, તેથી તેમના વડાપ્રધાને પોતે તેને પ્રોત્સાહન આપ્યું. શું આવો કોઈ સંદેશ પાકિસ્તાનના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિએ ક્યારેય આપ્યો છે? શું તેઓ જાણે છે કે આપણા રમતવીરો જીતી રહ્યા છે?
Tags :
CWG2022GujaratFirstNationalNewsPMModiSportsmanship
Next Article