IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પંકજ પટેલની વરણી
પંકજ પટેલની(Pankaj Patel) IIM અમદાવાદ (Ahmedabad)બોર્ડના નવા અધ્યક્ષ (New Chairman Board) તરીકે વરણી કરવામાં આવી છે. કુમાર મંગલમ બિરલાનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા પંકજ પટેલને ચેરપર્સન બનાવવામાં આવ્યા છે. પંકજ પટેલ 8 વર્ષથી IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય છે અને ઝાયડસ લાઈફસાયન્સના ચેરમેન છે. 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેઓ IIM ના 14મા અધ્યક્ષ છે. કોણ છે પંકજ પટેલ?પંકજ પટેલ અબજોપતિ બિઝનેસ મેન છે અને ભàª
પંકજ પટેલની(Pankaj Patel) IIM અમદાવાદ (Ahmedabad)બોર્ડના નવા અધ્યક્ષ (New Chairman Board) તરીકે વરણી કરવામાં આવી છે. કુમાર મંગલમ બિરલાનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા પંકજ પટેલને ચેરપર્સન બનાવવામાં આવ્યા છે. પંકજ પટેલ 8 વર્ષથી IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય છે અને ઝાયડસ લાઈફસાયન્સના ચેરમેન છે. 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેઓ IIM ના 14મા અધ્યક્ષ છે.
Advertisement
કોણ છે પંકજ પટેલ?
પંકજ પટેલ અબજોપતિ બિઝનેસ મેન છે અને ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યા બાદ પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.