Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રણબીર કપૂરના લગ્ન માટે મમ્મી નીતુ કપૂરે પસંદ કર્યો આઉટફિટ,17મીએ RK હાઉસમાં રણબીર-આલિયા ફેરા ફરશે

બોલિવુડના સૌથી ફેવરિટ કપલના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.  તાજેતરમાં કાકા રોબિન ભટ્ટે કન્ફર્મ કર્યું છે કે આલિયા અને રણબીર 17મીએ RK હાઉસમાં રણબીર-આલિયા ફેરા ફરશે તેમજ 18મીએ ગ્રાન્ડ રિસેપ્શન યેજાશે, તો પ્રી-વેડિંગ ફંક્શન 13 એપ્રિલથી શરૂ થશે. રણબીરે પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે બેન્ક્વેટ હોલ બુક કરાવ્યો છે, સાથે જ કેટલાક નિયમોનું પાલન બેન્ક્વેટ હોલમાં કરવું પડશે. આ હોલની કેપેàª
06:36 AM Apr 08, 2022 IST | Vipul Pandya
બોલિવુડના સૌથી ફેવરિટ કપલના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.  તાજેતરમાં કાકા રોબિન ભટ્ટે કન્ફર્મ કર્યું છે કે આલિયા અને રણબીર 17મીએ RK હાઉસમાં રણબીર-આલિયા ફેરા ફરશે તેમજ 18મીએ ગ્રાન્ડ રિસેપ્શન યેજાશે, તો પ્રી-વેડિંગ ફંક્શન 13 એપ્રિલથી શરૂ થશે. રણબીરે પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે બેન્ક્વેટ હોલ બુક કરાવ્યો છે, સાથે જ કેટલાક નિયમોનું પાલન બેન્ક્વેટ હોલમાં કરવું પડશે. આ હોલની કેપેસિટિ 40-45 લોકોની છે. પરંતુ રણબીર ઈચ્છે છે કે હોલમાં એક સમયે 15 થી વધુ લોકો ન હોવા જોઈએ. આ સિવાય રણબીરે બેન્ક્વેટ હોલમાં હાજરી આપી હતી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચાઓ જોરશોરથી શરુ 
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં નીતુ કપૂર મનીષ મલ્હોત્રાના સ્ટોરમાંથી આઉટફિટ લઈને જતી જોવા મળી હતી. બોલીવુડના પાવર કપલ કહેવાતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ કપલના લગ્નને લઈને દરરોજ કોઈને કોઈ નવી માહિતી સામે આવી રહી છે. રણબીર-આલિયાના લગ્નમાં આવનારા મહેમાનો, રિસેપ્શનનું લિસ્ટ, વેન્યુ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવે એવા અહેવાલ છે કે વરરાજાની માતા નીતુ કપૂર ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના સ્ટોરમાંથી બહાર નીકળતી જોવા મળી છે. પિંકવિલાના એક અહેવાલ મુજબ, માતા નીતુ કપૂરે તેના 'ગો-ટુ-લીવર' રણબીર કપૂરના લગ્ન માટે તેણે ડ્રેસ ફાઇનલ કરી દીધો છે. નીતુ કપૂરે ગઈકાલે બપોરે બોલીવુડના પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટોરમાંથી તેના પોશાક પહેર્યા છે. 
આ દિવસથી ધાર્મિક વિધિઓ શરુ કરવામાં આવશે
રિપોર્ટ્સ અનુસાર રણબીર-આલિયા 15 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ પહેલા 13 એપ્રિલથી બંનેના ઘરે લગ્નની વિધિઓ શરૂ થશે. રણબીર-આલિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. રણબીર-આલિયાના લગ્નમાં આવનાર મહેમાનોની યાદી પણ સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર, આ કપલના લગ્નમાં અર્જુન કપૂર, સંજય લીલા ભણસાલી, વરુણ ધવન-નતાશા દલાલ, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, કરણ જોહર અને મનીષ મલ્હોત્રા સહિત તમામ સ્ટાર્સ હાજરી આપી શકે છે.

રણબીર આલિયાનો ક્રશ હતો
આલિયા-રણબીર રિલેશનશિપમાં હોવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે, પરંતુ કપલે ક્યારેય તેની પુષ્ટિ કરી નથી. જોકે, આલિયા બાળપણથી જ રણબીર કપૂરને પસંદ કરતી હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રણબીર તેનો ક્રશ છે અને તે તેને ડેટ કરવા માંગે છે.
 આ ફિલ્મમાં સાથે જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણબીર અને આલિયા ભટ્ટે તાજેતરમાં જ ડિરેક્ટર અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને હવે તે 9 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Tags :
aliabhattaliyaranbermarrigeGujaratFirstRanbirAliaRanbirKapoor
Next Article