Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે સાંસદશ્રી ચાવડાએ પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન

ભુજમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના ૭૨ માં જન્મદિવસ નિમિત્તે ભુજના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ લાભાર્થી સુંધી પહોંચતી કરવા પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મોદીજીના જન્મદિવસે સાંસદ રમત ગમત મહોત્સવ નું આયોજન માં ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ અને ભાજપા રમત
12:54 PM Sep 15, 2022 IST | Vipul Pandya

ભુજમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના ૭૨ માં જન્મદિવસ નિમિત્તે ભુજના ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ લાભાર્થી સુંધી પહોંચતી કરવા પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મોદીજીના જન્મદિવસે સાંસદ રમત ગમત મહોત્સવ નું આયોજન માં ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ અને ભાજપા રમત ગમત  પ્રદેશ સેલના કારોબારી સદસ્ય ના રાહયોગે કચ્છ ભરમાં આયોજિત કરવામાં આવેલ છે. 

વડાપ્રધાનશ્રીના ૭૨ માં જન્મદિને સાંસદશ્રીની પ્રેરણા  માર્ગદર્શન થી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ મિરઝાપર રોડ મધ્યે રક્તદાન કેમ્પ નું માં ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ  ભુજ તથા રાજપુત યુવા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવેલ છે.  

સાંસદશ્રી એ જણાવ્યુ હતું કે, મોદીજી ના દીઘાર્યું તથા સ્વસ્થતા ની પ્રાર્થના સાથે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળામાં પશુપાલન, કિશાન ઉત્કર્ષ, ઉજ્જવલા યોજના, વડીલ વંદના, પ્રધાન મંત્રી આવાસ યોજના, દિવ્યાંગ સાધન, સહાય યોજના અનુસૂચિત જાતિ અને નગરપાલિકા NVLM શાખા યોજના માટેના લાભાર્થીઓને લાભ આપવા કલ્યાણ મેળાનું આયોજન તારીખ ૧૭/૦૯/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ વાગ્યે રાખવામા આવેલ છે તેમ સાંસદશ્રીએ જણાવ્યુ હતું.

Tags :
BeneficiaryWelfareMelabirthdayGujaratFirstMPShriChavdaorganizedPrimeMinisterPrimeMinisterShri
Next Article