Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતના રશિયા સાથેના સબંધો મામલે નિર્મલા સીતારમણે અમેરિકામાં આપ્યો આ જવાબ

અમેરિકાની મુલાકાતે ગયેલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ભારતની ભૂગોળના સંદર્ભમાં વોશિંગ્ટન-નવી દિલ્હી વચ્ચેના સંબંધો અંગે મહત્વની વાત કરી હતી.  સીતારમન યુક્રેન યુદ્ધને લઈને વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા પાસેથી ભારત દ્વારા શસ્ત્રો અને તેલની ખરીદી સંબંધિત પ્રશ્નોના આપ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીનો ઉલ્લà
ભારતના રશિયા સાથેના સબંધો મામલે નિર્મલા સીતારમણે અમેરિકામાં આપ્યો આ જવાબ
અમેરિકાની મુલાકાતે ગયેલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ભારતની ભૂગોળના સંદર્ભમાં વોશિંગ્ટન-નવી દિલ્હી વચ્ચેના સંબંધો અંગે મહત્વની વાત કરી હતી.  સીતારમન યુક્રેન યુદ્ધને લઈને વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા પાસેથી ભારત દ્વારા શસ્ત્રો અને તેલની ખરીદી સંબંધિત પ્રશ્નોના આપ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તમે તમારા પાડોશીને પસંદ કરી શકતા નથી પરંતુ તમે તમારા મિત્રને પસંદ કરી શકો છો. તમારી પાસે જે છે તે તમારો પડોશ છે. જો અમેરિકાને મિત્ર જોઈએ છે, તો તે તે મિત્ર નબળો હોય તેવું ઈચ્છશે નહીં. તેથી, અમે નિર્ણયો લઈ રહ્યા છીએ કારણ કે આપણે ભૌગોલિક સ્થાનોને જોતાં, આપણે ક્યાં છીએ તે જાણવાની જરૂર છે. 
આપણે ભૌગોલિક પરિસ્થિતિને સમજવી પડશેઃ સીતારમણ
એક પ્રશ્નનો જવાબ આપતાં નાણા મંત્રીએ  કહ્યું કે અમે અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે બધું જ કરી રહ્યા છીએ. એક માન્યતા છે કે મિત્ર હોય છે પણ મિત્રનું પણ ભૌગોલિક સ્થાન હોય છે.  આપણે તેને સમજવું પડશે. તેમણે કહ્યું કે મિત્રને કોઈ પણ કારણસર નબળો પાડી શકાય નહીં. આપણે ભૌગોલિક સ્થાનને સમજવું જ પડશે. ઉત્તરીય સરહદો પર  તણાવ ચાલી રહ્યો છે. પશ્ચિમી સરહદો પર પણ સમસ્યા છે ત્યાં અફઘાનિસ્તાન છે. એવું નથી કે ભારત પાસે સ્થળાંતરનો વિકલ્પ છે.
રશિયા સાથેના સંબંધો પર આપ્યો જવાબ 
સીતારમણે કહ્યું કે આ એક સમજ છે કે અમેરિકા સાથે ભારતના સંબંધો ખરેખર આગળ વધ્યા છે. સબંધો વધુ ગાઢ થયા છે તે અંગે સવાલ નથી. જો તમે એમ કહો કે અમે રશિયા સાથે માત્ર શસ્ત્રો ખરીદવા માટે જ સંબંધો જાળવીએ છીએ તો તે યોગ્ય નથી. આપણે સમજવું પડશે કે દાયકાઓથી ભારત અને રશિયા વચ્ચેના સારા સંબંધોમાં ઘણા મુદ્દા છે જેને આપણે વારસા તરીકે ગણી શકીએ. આપણે તેને સકારાત્મક રીતે લેવું જોઈએ. આ કોઈ નકારાત્મક સમજણ નથી.
Advertisement
Tags :
Advertisement

.