જમ્યા પછી ક્યારેય ન કરો આ કામ, સ્વાસ્થ્ય પર થઇ શકે છે વિપરીત અસર
દરેક વ્યક્તિની પોતાની જીવનશૈલી હોય છે જેના અનુસાર તે પોતાનું જીવન જીવવાનું પસંદ કરે છે. જો કે એક વસ્તુ જે સામાન્ય છે તે છે ખોરાક. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખોરાક ખાય છે. જોકે દરેક વ્યક્તિ માટે ખાવાનો સમય અલગ-અલગ હોય છે. કેટલાક લોકો જમ્યા પછી ચા પીવે છે, તો કેટલાક લોકો જમ્યા પછી સ્નાન કરતાં હોય છે. ઘણીવાર આદતો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. અને ઘણી સમસ્યાઓ માટે પણ જવાબદાર
દરેક વ્યક્તિની પોતાની જીવનશૈલી હોય છે જેના અનુસાર તે પોતાનું જીવન જીવવાનું પસંદ કરે છે. જો કે એક વસ્તુ જે સામાન્ય છે તે છે ખોરાક. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખોરાક ખાય છે. જોકે દરેક વ્યક્તિ માટે ખાવાનો સમય અલગ-અલગ હોય છે. કેટલાક લોકો જમ્યા પછી ચા પીવે છે, તો કેટલાક લોકો જમ્યા પછી સ્નાન કરતાં હોય છે. ઘણીવાર આદતો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. અને ઘણી સમસ્યાઓ માટે પણ જવાબદાર હોઈ શકે છે.
1) જમ્યા પછી તરત જ સૂવું
મોટાભાગના લોકો જમ્યા પછી તરત જ સૂઈ જાય છે.ખોરાકને પચાવવામાં મુશ્કેલી થાય છે. માટે દરેક વ્યક્તિએ રાત્રે અને દિવસ દરમિયાન ભોજન કર્યાના લગભગ બે કલાક પછી જ સૂવું જોઈએ. જો તમે જમતાની સાથે જ સૂઈ જાઓ છો, તો તેનાથી સ્થૂળતા, એસિડિટી, સ્ટ્રોક અથવા હૃદયની સમસ્યાઓ થઈ શકે છે.
2) જમ્યા પછી તરત જ સ્નાન કરો
જો તમે ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરો છો, તો તેની તમારા પાચનક્રિયા પર પ્રતિકૂળ અસર પડે છે. અપચાની સમસ્યા થઈ શકે છે. જ્યારે તમે સ્નાન કરો છો, ત્યારે તમારા શરીરની સપાટીનું તાપમાન તમે ઉપયોગ કરો છો તે પાણીના તાપમાનને અનુરૂપ વધે છે. જો તમે ઠંડા પાણીનો ઉપયોગ કરો છો, તો તમારી રક્તવાહિનીઓ વિસ્તરે છે.
3) ખાધા પછી તરત જ નિકોટિન
જો તમે જમ્યા પછી તરત જ ચા, કોફી અથવા સિગારેટ પીવાનું પસંદ કરો છો, તો તમારે તમારી આ આદત છોડી દેવી જોઈએ. ધૂમ્રપાન તો ગમે તે સમયે હાનિકારક જ છે.પરંતુ જ્યારે જમ્યા પછી શરીરમાં નિકોટિનની માત્રા વધી જાય છે, ત્યારે તે પોષણને શોષવાની પ્રક્રિયાને અસર કરે છે.ધૂમ્રપાન આંતરડાની બળતરાને પણ અસર કરે છે. પાચન આખા શરીરમાં કામ કરે છે, અને નિકોટિન લોહીમાં ઓક્સિજન સાથે જોડાય છે, અને વધુ સરળતાથી શોષાય છે. ડૉક્ટરોનું કહેવું છે કે જમ્યા પછી સિગારેટ પીવાથી આંતરડાના કેન્સર અને ફેફસાના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
4) જમ્યા પછી તરત ચા-કોફી
ચા અને કોફીમાં ટેનીન નામનું રસાયણ હોય છે જે શરીરમાં આયર્નના શોષણમાં અવરોધ ઊભો કરે છે. જ્યારે જમ્યા પછી તરત જ ચા અને કોફી પીવામાં આવે છે, ત્યારે ખોરાકમાંથી આયર્નનું શોષણ અવરોધાય છે.
Advertisement