નવનીત રાણાનું અંડરવર્લ્ડ કનેકશન, જાણો કોણે લગાવ્યો ગંભીર આરોપ
મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા પર અંડરવર્લ્ડ સાથે કનેક્શન રાખવાનો ગંભીર આરોપ શિવસેનાના સાંસદ સંજય રાઉતે લગાવ્યો છે. રાઉતે કહ્યું કે નવનીત રાણાએ યુસુફ લાકડાવાલા પાસેથી 80 લાખનું કર્જ લીધું હતું., જેનું અંડરવર્લ્ડ કનેકશન છે. ઉલ્લેખનિય છે કે યુસુફ લકડાવાલાની જેલમાં જ મોત થઇ ગઇ હતી.સમાચારો મુજબ શિવસેનાના નેતા સંજય રાઉતે આરોપ લગાવતાં કહ્યું કે અમરાવતી સાંસદ નવનીત રાણાનુàª
મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા પર અંડરવર્લ્ડ સાથે કનેક્શન રાખવાનો ગંભીર આરોપ શિવસેનાના સાંસદ સંજય રાઉતે લગાવ્યો છે. રાઉતે કહ્યું કે નવનીત રાણાએ યુસુફ લાકડાવાલા પાસેથી 80 લાખનું કર્જ લીધું હતું., જેનું અંડરવર્લ્ડ કનેકશન છે. ઉલ્લેખનિય છે કે યુસુફ લકડાવાલાની જેલમાં જ મોત થઇ ગઇ હતી.
સમાચારો મુજબ શિવસેનાના નેતા સંજય રાઉતે આરોપ લગાવતાં કહ્યું કે અમરાવતી સાંસદ નવનીત રાણાનું અંડરવર્લ્ડ કનેકશન બહાર આવ્યુ છે. તેમણે યુસુફ લાકડાવાલા પાસેથી 80 લાખ રુપિયાનું કર્જ લીધું હતું, જેનું જેલમાં મોત થયું હતું. લકડાવાલાને ઇડીએ 200 કરોડ રુપિયાના મનિ લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરાઇ હતી. અને તેને ડી ગેંગ સાથે સંબંધ હતા.તેમણે કહ્યું કે નવનીત રાણાને છોડીને લાકડાવાલાની લેવડ દેવડની તપાસ કરવામાં આવી હતી. ઇડી કયારે તેમની પુછપરછ કરશે તેવો સવાલ તેમણે કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે કોઇ તેમને બચાવાની કોશિશ કરી રહ્યું છે. તેનાથી સાફ છે કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં બનેલા બનાવોમાં અંડરવર્લ્ડ સાથેનું કનેક્શન હતું.
ઉલ્લેખનિય છે કે અપક્ષ લોકસભા સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના મકાનની બહાર હનુમાન ચાલિસા કરવાની જાહેરાત કરી હતી, જેનાથી ભારે વિવાદ સર્જાયો હતો. આ જ કેસમાં મુંબઇ પોલીસે રાણા દંપતી સામે રાજદ્રોહ તથા અન્ય આરોપો મુજબ કેસ કરીને ધરપકડ કરી હતી.
Advertisement