Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આવતી કાલે માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પઠનનું નવનીત રાણાનું એલાન, થઇ શકે છે ઘર્ષણ

મહારાષ્ટ્રમાં શરુ થયેલો લાઉડસ્પીકર વિવાદ પુરો થવાનું નામ નથી લઇ રહ્યો. રાજ ઠાકરેના નિવેદન બાદ શરુ થયેલો આ વિવાદ દેશભરમાં પહોંચ્યો હતો. ત્યારે હવે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાને લઇને પણ વિવાદ શરુ થયો છે.  અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ જાહેરાત કરી છે કે માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. માતોશ્રી મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના પ્રમà«
01:45 PM Apr 22, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રમાં શરુ થયેલો લાઉડસ્પીકર વિવાદ પુરો થવાનું નામ નથી લઇ રહ્યો. રાજ ઠાકરેના નિવેદન બાદ શરુ થયેલો આ વિવાદ દેશભરમાં પહોંચ્યો હતો. ત્યારે હવે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાને લઇને પણ વિવાદ શરુ થયો છે.  અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ જાહેરાત કરી છે કે માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. માતોશ્રી મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું ઘર છે. મુંબઈ પોલીસે નવનીત રાણા અને તેના પતિને કલમ 149 હેઠળ નોટિસ પણ મોકલી છે. રાણા દંપતિ આવતી કાલે સવારે 9 વાગે માતોશ્રી બહાર હનુમના ચાલીસાનું પઠન કરશે.
રાણા દંપતિ મુંબઇ પહોંચ્યું
નવનીત રાણા અને તેના પતિ શુક્રવારે મુંબઈ પહોંચી ગયા છે. માતોશ્રીની સામે હનુમાન ચાલીસા વાંચવાના સમાચાર સાથે જ મોટી સંખ્યામાં શિવસૈનિકો માતોશ્રી ઉપરાંત મુંબઈની આસપાસના વિસ્તારોમાં એકઠા થવા લાગ્યા છે. શિવસૈનિકોએ રાણા દંપતીને માતોશ્રી પહોંચીને બતાવવાનો પડકાર ફેંક્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર રાણા દંપતી ખાર સ્થિત તેમના ઘરે છે. ઝોન-9 ડીસીપી મંજુનાથ સેંગેએ કાયદો અને વ્યવસ્થા બગડવાના ડરથી રાણા દંપતીને નોટિસ આપી છે. પોલીસે નોટિસમાં લખ્યું છે કે જો કાયદો અને વ્યવસ્થા કોઈપણ રીતે બગડશે તો તેના માટે રાણા દંપતી જવાબદાર રહેશે.
મોટી સંખ્યામાં શિવસૈનિકો એકઠા થયા
અગાઉ એવી ધારણા હતી કે રાણા દંપતી ટ્રેનમાં આવશે પરંતુ શિવસૈનિકોએ તેમને સીએસટી સ્ટેશન પર જ રોકવાની યોજના બનાવી હતી. શિવસૈનિકોના વિરોધને કારણે રાણા દંપતી ફરીથી ફ્લાઈટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. રાણા દંપતી હાલમાં નંદગીરી ગેસ્ટહાઉસમાં રોકાયા છે, જેની બહાર મોટી સંખ્યામાં શિવસૈનિકો હાજર છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં શિવસૈનિકો માતોશ્રીની સામે એકઠા થયા છે અને હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે.
રાણા દંપતીએ પણ પીછેહઠ કરી હોવાના કોઈ સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે રાણા દંપતી લગભગ 500 કાર્યકરો સાથે માતોશ્રી પહોંચવાનો પ્રયાસ કરશે. રવિ રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને હનુમાન ચાલીસા ગાવાનો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જો તેઓ આમ નહીં કરે તો તેઓ માતોશ્રીની સામે હનુમાન ચાલીસા ગાશે.
શિવસેના હિન્દુત્વને ભૂલી ગઈ છે
રાણાએ કહ્યું કે જ્યારે અમે કહ્યું ત્યારે શિવસેનાએ અમને ધમકી આપી હતી કે જો અમે મુંબઈ આવીશું તો અમે અમારા પગ પર પાછા નહીં જઈએ અને જુઓ અમે મુંબઈમાં છીએ અને અમે જીવિત પણ છીએ. બાળપણથી જ આપણે હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેને જોઈને મોટા થયા છીએ, પરંતુ આ સમયની શિવસેના પોતાનું હિન્દુત્વ ભૂલી ગઈ હોય તેવું લાગે છે.
તે જ સમયે ધારાસભ્ય નવનીત રાણાએ કહ્યું કે અમને નોટિસ આપવામાં આવી છે કે અમે બહાર ન આવો. કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે, તેથી હનુમાન ચાલીસા વાંચવા માટે એકલા જવાનું છે. અમે શાંતિપૂર્વક જઈશું જેથી મુંબઈના લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. અમે પોલીસને સહકાર આપીશું, આ સાથે અમે એવા તમામ ભક્તોને પણ આહ્વાન કરીએ છીએ કે જેઓ ત્યાં આવવા માગે છે તેઓ ન આવે.
Tags :
GujaratFirstHanumanChalisamatoshriNavneetRaviRanaRaviRanaUddhavThackrey
Next Article