Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની ગોળી મારી હત્યા

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મુસ્લિમ આધ્યાત્મિક ગુરુની હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય સૂફી સંતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ સૂફી બાબા અફઘાનિસ્તાનના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા અનુસાર 4 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યાની આ ઘટના યેવલા તાલુકાના ચિચોંડી MIDC વિસ્તારમાં બની હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાન નાગરિક સૂફી ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તીનà
નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની ગોળી મારી હત્યા
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મુસ્લિમ આધ્યાત્મિક ગુરુની હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય સૂફી સંતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ સૂફી બાબા અફઘાનિસ્તાનના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા અનુસાર 4 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યાની આ ઘટના યેવલા તાલુકાના ચિચોંડી MIDC વિસ્તારમાં બની હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાન નાગરિક સૂફી ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેમની ઉંમર લગભગ 35 વર્ષની હતી. પોલીસ હત્યારાઓને શોધી રહી છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં અફઘાનિસ્તાનના એક સૂફી સંતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના યેવલા તાલુકાના ચિચોંડી MIDC વિસ્તારમાં બની છે. જોકે હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મૃતકનું નામ સૂફી ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તી જણાવવામાં આવી રહ્યું છે. 4 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યા બાદ ચાર અજાણ્યા શખ્સો ફોર વ્હીલર વાહનમાં ફરાર થઈ ગયા હતા.
મહારાષ્ટ્રના નાસિકમાં સૂફી બાબાની હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આર્થિક વિવાદના કારણે હત્યા થઈ હોવાની પોલીસ આશંકા સેવી રહી છે. પ્રાથમિક માહિતી એવી છે કે સૂફી ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તી અફઘાન મૌલવી છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસની ટીમ હત્યારાઓને શોધવા તપાસ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.