મુસેવાલાની હત્યા બિશ્નોઇ ગેંગ દ્વારા કરાઇ હતી, ડીજીપીનો ખુલાસો
પંજાબ ડીજીપીએ કહ્યું કે મુસેવાલાની સુરક્ષા સંપૂર્ણપણે હટાવવામાં આવી ન હતી. તેમની સુરક્ષા ચાર પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી બે કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાના દિવસે તે પોતાની સાથે બે કમાન્ડોને લઈ ગયા ન હતા. તેમણે કહ્યું કે બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે. પંજાબના ડીજીપી વીકે ભાવરાએ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ અંગે મોટી જાહેરàª
05:17 PM May 29, 2022 IST
|
Vipul Pandya
પંજાબ ડીજીપીએ કહ્યું કે મુસેવાલાની સુરક્ષા સંપૂર્ણપણે હટાવવામાં આવી ન હતી. તેમની સુરક્ષા ચાર પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી બે કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાના દિવસે તે પોતાની સાથે બે કમાન્ડોને લઈ ગયા ન હતા. તેમણે કહ્યું કે બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે.
પંજાબના ડીજીપી વીકે ભાવરાએ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે મુસેવાલાની સુરક્ષા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી ન હતી. તેમની સુરક્ષા ચાર પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી બે કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાના દિવસે તે પોતાની સાથે બે કમાન્ડોને લઈ ગયા ન હતા. આ સિવાય તે પોતાની પાસેનું બુલેટ પ્રુફ વાહન લઈને નીકળ્યા ન હતા. ડીજીપીએ કહ્યું કે બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે. હત્યાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
ડીજીપી વીકે ભાવરાએ જણાવ્યું હતું કે સિદ્ધુ મુસેવાલા પર લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ત્રણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે ત્રણ હુમલાખોર હોઈ શકે છે.
વિકી મિદુખેડાની 8 ઓગસ્ટ 2021ના રોજ મોહાલીમાં દિવસે દિવસે હત્યા કરવામાં આવી હતી. વિકી પંજાબના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ખૂબ નજીક હતો. હત્યા કેસમાં સિદ્ધુ મુસેવાલાના મેનેજરનું નામ સામે આવ્યું હતું. પોલીસ મેનેજર સુધી પહોંચે તે પહેલા તે ભારતથી ભાગી ગયો હતો. પંજાબ પોલીસે સિદ્ધુના મેનેજર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. એવું માનવામાં આવે છે કે બિશ્નોઈ ગેંગે વિકીની હત્યાનો બદલો લેવા માટે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી હતી.
આ પણ વાંચો--પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા
Next Article