દેશમાં આ સ્થળે દશેરાના દિવસે મનાવાય છે શોક, જાણો શું છે કારણ
આજે દશેરા (Dussehra) છે. આજે અસત્ય પર સત્યનો વિજય થયો હતો અને તેથી લોકો વિજયાદશમી (Vijayadashami)નું પર્વ મનાવીને રાવણ (Ravana)ના પુતળાનું દહન કરે છે. જો કે દેશમાં એક સ્થળ એવું છે કે જ્યાં આજે શોક મનાવામાં આવે છે તો બીજા એક શહેરમાં રાવણની પૂજા કરવામાં આવે છે. જોધપુરમાં આજે શોકનું વાતાવરણ દશેરાના દિવસે લોકો રાવણના દહનને ખુશીની જેમ ઉજવે છે, જો કે રાજસ્થાનના જોધપુરમાં આજના દિવસે રાવણના પૂતળાનું દહન થાય છ
આજે દશેરા (Dussehra) છે. આજે અસત્ય પર સત્યનો વિજય થયો હતો અને તેથી લોકો વિજયાદશમી (Vijayadashami)નું પર્વ મનાવીને રાવણ (Ravana)ના પુતળાનું દહન કરે છે. જો કે દેશમાં એક સ્થળ એવું છે કે જ્યાં આજે શોક મનાવામાં આવે છે તો બીજા એક શહેરમાં રાવણની પૂજા કરવામાં આવે છે.
જોધપુરમાં આજે શોકનું વાતાવરણ
દશેરાના દિવસે લોકો રાવણના દહનને ખુશીની જેમ ઉજવે છે, જો કે રાજસ્થાનના જોધપુરમાં આજના દિવસે રાવણના પૂતળાનું દહન થાય છે. પરંતુ જોધપુરમાં એક એવો સમાજ છે જે દશેરાના દિવસને શોક તરીકે ઉજવે છે. જોધપુરના શ્રીમાળી દવે ગોધા પરિવાર પોતાને રાવણના વંશજ માને છે. તેઓ દશેરાના દિવસને શોક તરીકે ઉજવે છે. આ દિવસે જોધપુરમાં રાવણના મંદિરમાં સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે.
રાવણ જોધપુરનો જમાઇ
શ્રીમાળી ગોધા બ્રાહ્મણો કહે છે કે રાવણ સંગીતનો મહાન વિદ્વાન હોવાની સાથે જ્યોતિષનો પણ મહાન વિદ્વાન હતો. એવું માનવામાં આવે છે કે રાવણની પત્ની મંદોદરી જોધપુરના મંડોરની રહેવાસી હતી. તેથી જ રાવણને જોધપુરનો જમાઈ પણ માનવામાં આવે છે. જોધપુરના મેહરાનગઢ ફોર્ટ રોડ પર સ્થિત મંદિરમાં રાવણ અને મંદોદરીની મૂર્તિ સામસામે સ્થાપિત છે. આ મંદિર પણ ગોધા ગૌત્રના શ્રીમાળી બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવ્યું છે. તેઓ માને છે કે રાવણની પૂજા કરવાથી ઈચ્છાઓની પ્રાપ્તિ થાય છે. તે આપણને ખરાબ નજરથી પણ બચાવે છે.
રાવણ દહન બાદ સ્નાન પણ કરાય છે
ગોધા ગૌત્રના શ્રીમાળી બ્રાહ્મણો કહે છે કે રાવણ દહન પછી સ્નાન કરવું ફરજિયાત છે. પહેલા ત્યાં જળાશયો હતા તેથી અમે બધા ત્યાં સ્નાન કરતા હતા, પરંતુ હવે અમે અમારા ઘરની બહાર સ્નાન કરીએ છીએ. આ સાથે, આ સમય દરમિયાન જનોઇ બદલવી પણ ફરજિયાત છે. આ ઉપરાંત મંદિરમાં રાવણ અને શિવની પણ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન દેવી મંદોદરીની પણ પૂજા કરવામાં આવે છે.
રાવણ એક મહાન સંગીતકાર અને વિદ્વાન હતા
રાવણ મંદિરના પૂજારી કહે છે કે અમે રાવણના વંશજ છીએ. તેમના કહેવા પ્રમાણે, રાવણ મહાન સંગીતકાર હતા, વિદ્વાન અને જ્યોતિષી હતા. રાવણ પણ માયાવી હતો. તેથી જ તેને જોવા માટે વિદ્યાર્થીઓ દૂર-દૂરથી આવે છે. રાવણની મૂર્તિના દર્શન માત્રથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે.
કાનપુરમાં રાવણનું મંદિર
બીજી તરફ ઉત્તર પ્રદેશમાં કાનપુર એક એવી જગ્યા છે, જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. રાવણનું આ મંદિર વર્ષમાં એકવાર માત્ર થોડા કલાકો માટે ખોલવામાં આવે છે. આજે પણ જ્યારે આ મંદિર ખોલવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો રાવણની પૂજા કરવા પહોંચ્યા હતા.
દશેરાએ મંદિર ખુલે છે
વિજયાદશમીના દિવસે આ મંદિરમાં રાવણને દૂધ સ્નાન અને અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ પૂજાની સાથે રાવણની સ્તુતિ કરીને આરતી કરવામાં આવે છે. અહીંના પૂજારીઓનું માનવું છે કે જ્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો ત્યારે નાભિ અને રાવણના વિનાશની વચ્ચે રચાયેલા કાલચક્રએ રાવણને પૂજા લાયક બનાવ્યો હતો.
રાવણ મહાજ્ઞાની હતો
પૂજારીઓ કહે છે કે ભગવાન રામે લક્ષ્મણને રાવણના ચરણોમાં ઊભા રહેવા અને નૈતિક જ્ઞાનનું શિક્ષણ માનપૂર્વક લેવાનું કહ્યું, કારણ કે પૃથ્વી પર રાવણ જેવો જ્ઞાની માણસ ક્યારેય થયો નથી અને ક્યારેય થશે પણ નહી. આ સ્વરૂપ પૂજનીય છે અને આ સ્વરૂપને ધ્યાનમાં રાખીને કાનપુરમાં રાવણની પૂજા કરવાનો કાયદો છે.
લોકો મંદિર ખુલવાની રાહ જુવે છે
કાનપુરમાં 1868માં બનેલા આ મંદિરમાં દર વર્ષે રાવણની પૂજા કરવામાં આવે છે. લોકો દર વર્ષે આ મંદિરના ખુલવાની રાહ જુએ છે અને જ્યારે મંદિર ખુલે છે ત્યારે ખૂબ જ ધામધૂમથી અહીં પૂજા કરે છે. રાવણની આરતી પણ પૂજાની સાથે સંપૂર્ણ વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં વ્રત કરવાથી લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
દશેરાએ રાવણનો જન્મ પણ થયો હતો
રાવણનો જન્મદિવસ પણ દશેરાના દિવસે ઉજવવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે જે દિવસે રામના હાથે રાવણને મોક્ષ મળ્યો હતો, તે જ દિવસે રાવણનો જન્મ પણ થયો હતો. કાનપુરમાં રાવણનું મંદિર દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે. મંદિર દશેરાના દિવસે સવારે ખુલે છે અને સવારે 11:00 વાગ્યાની આસપાસ મંદિર આખું વર્ષ બંધ રહે છે.
Advertisement