Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલો, જયસુખ પટેલે 87 દિવસ બાદ કહ્યું 'મને અફસોસ છે '

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના માત્ર દુખ વ્યક્ત કરવામાં પણ પુલની જાળવણીનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલને ૮૭ દિવસ લાગ્યા છે.. આમ તો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કઠોર શાસક માનવામાં આવે છે પણ આ કેસમાં વ્લાદિમીર પુતિન દ્વારા દુર્ધટના બાદ બીજે જ દિવસે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરાયુ હતું. જ્યારે ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ જેના હાથમાં છે તે ઓરેવાના માલિક જયસુખ પટેલને અફસ
01:26 PM Jan 25, 2023 IST | Vipul Pandya
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના માત્ર દુખ વ્યક્ત કરવામાં પણ પુલની જાળવણીનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલને ૮૭ દિવસ લાગ્યા છે.. આમ તો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કઠોર શાસક માનવામાં આવે છે પણ આ કેસમાં વ્લાદિમીર પુતિન દ્વારા દુર્ધટના બાદ બીજે જ દિવસે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરાયુ હતું. જ્યારે ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ જેના હાથમાં છે તે ઓરેવાના માલિક જયસુખ પટેલને અફસોસ વ્યક્ત કરતા ૮૭ દિવસ લાગ્યા
મારો કોઇ કોમર્શિયલ ઇરાદો ન હતોઃ જયસુખ પટેલ 
અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલના વકીલે સુઓમોટો સુનવણીમાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી જે અરજી આજે હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને પક્ષ કાર તરીકે જોડવા મંજૂરી આપી છે જેમાં ઘટનાના ૮૭ દિવસ પછી જયસુખ પટેલ દ્વારા જવાબ પણ રજૂ કરાયો હતો કે "મને અફસોસ છે વળતર આપી ને હું મારી જવાબદારી માંથી છૂટી નથી જતો પરંતુ મને મારો જવાબ યોગ્ય રીતે રજૂ કરવા મોકો મળવો જોઈએ અને ઝૂલતો પુલ નુ રીનોવેશન કામ મને વગદાર લોકોએ સોંપ્યું હતી જેમાં મારો કોઈ કોમર્શિયલ ઇરાદો ન હતો અને ફકત હેરિટેજ બચાવવા માટે આ કરવામાં આવ્યું હતું અને હું તમામ મૃતકો પરિજનોને વળતર પણ આપીશ" ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વળતર ચૂકવી દેવાથી જવાબદારીમાંથી છટકી જવાતું નથી અને હાઇકોર્ટ દ્વારા જયસુખ પટેલ પર જરૂરી પગલાં લેવા માટે પણ સરકારને ટકોર કરાઇ હતી .
 
30 ઓક્ટોબરે બની હતી ગોઝારી ઘટના 
ગત ૩૦ ઓકટોબરના રોજ ઝૂલતા પુલ તૂટી પડવાની ગોઝારી ઘટના બની હતી ત્યાર બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો, તેમજ સમગ્ર વિશ્વના ખૂણે-ખૂણેથી લોકો મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં હતા.  જેમાં ભારત દેશના વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી તેમજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું પરંતુ ઝૂલતા પુલના મેઇન્ટન્સનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કંપનીના માલિક કે જેમણે દુર્ઘટનાના પાંચ દિવસ પહેલા પુલ ખુલ્લો મુક્યો હતો,તે વ્યકિતને આ દુર્ઘટના પર અફસો વ્યક્ત કરતા 87 દિવસ લાગ્યા.
આ પણ વાંચોઃ  વિંછીયામાં કુંવરજીભાઇ બાવળીયાની સ્કૂલમાં વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાથી ચકચાર, પરિવારે માંગ્યા આપઘાતના પૂરાવા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstjaysukhpatelmorbiregretSuspensionBridgetragedycase
Next Article