Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુષ્કર્મના આરોપમાં મિર્ચી બાબાની ધરપકડ, પીડિતાનો દાવો - બાળક માટે પૂજાના બહાને દુષ્કર્મ ગુજાર્યુ

વૈરાગ્યાનંદ ગિરી મહારાજ ઉર્ફે મિર્ચી બાબાની પોલીસે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. ભોપાલ પોલીસ અને ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં મિર્ચી બાબા હોટલમાંથી ઝડપાયો છે. કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા વૈરાગ્ય નંદ ગિરી મહારાજ ઉર્ફે મિર્ચી બાબાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સોમવારે સવારે ભોપાલ પોલીસની ટીમ ગ્વાલિયર પહોંચી, જ્યાં ગ્વાલિયર ક્રાઈમ બ્
દુષ્કર્મના આરોપમાં મિર્ચી બાબાની ધરપકડ  પીડિતાનો દાવો   બાળક માટે પૂજાના બહાને દુષ્કર્મ ગુજાર્યુ
વૈરાગ્યાનંદ ગિરી મહારાજ ઉર્ફે મિર્ચી બાબાની પોલીસે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. ભોપાલ પોલીસ અને ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં મિર્ચી બાબા હોટલમાંથી ઝડપાયો છે. 
કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા વૈરાગ્ય નંદ ગિરી મહારાજ ઉર્ફે મિર્ચી બાબાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સોમવારે સવારે ભોપાલ પોલીસની ટીમ ગ્વાલિયર પહોંચી, જ્યાં ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે બાબાને એક હોટલમાંથી પકડવામાં આવ્યો છે. ભોપાલ પોલીસની ટીમ મિર્ચી બાબાની ધરપકડ કરીને ત્યાંથી રવાના થઈ ગઈ છે. મિર્ચી બાબા વિરુદ્ધ ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે મિર્ચીએ બાળક મેળવવાના બહાને તેને નશાની ગોળીઓ ખવડાવીને  મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે ભોપાલની પોલીસ ટીમ આરોપી મિર્ચી બાબાને પકડવા માટે ગઈકાલે રાત્રે ગ્વાલિયર પહોંચી હતી, જ્યાં ગઈકાલે સવારે બાબાની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે પીડિતા રાયસેનની રહેવાસી છે. તેણે પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્નને ચાર વર્ષ થયા છે. તેને બાળકો નથી, તે નિઃસંતાન છે, તેથી મિર્ચી બાબાના સંપર્કમાં આવી. બાબાએ તેને પૂજા વિધી કરીને બાળક આવશે તેવો દાવો કર્યો હતો. સારવારના નામે તેને બોલાવીને ગોળીઓ ખવડાવી તેની સાખે દુષ્કર્મ  ગુજાર્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.