Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કર્ણાટક સરકારમાં મંત્રી ઈશ્વરપ્પાએ આપ્યું રાજીનામું, કોન્ટ્રાક્ટરની આત્મહત્યા મામલે સામે આવ્યું હતું નામ

કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી કે.એસ. કોન્ટ્રાક્ટરના મૃત્યુના સંબંધમાં ઈશ્વરપ્પાએ શુક્રવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈને તેમનું રાજીનામું સોંપી દીધું છે. કર્ણાટકના બેલાગવી જિલ્લાના કોન્ટ્રાક્ટર અને ભાજપના કાર્યકર સંતોષ પાટીલે કથિત રીતે 12 એપ્રિલે ઉડુપીમાં એક લોજમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. તેણે સુસાઈડ નોટમા
04:21 PM Apr 15, 2022 IST | Vipul Pandya

કર્ણાટકના ગ્રામીણ વિકાસ
અને પંચાયતી રાજ મંત્રી કે.એસ. કોન્ટ્રાક્ટરના મૃત્યુના સંબંધમાં ઈશ્વરપ્પાએ
શુક્રવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈને
તેમનું રાજીનામું
સોંપી દીધું છે. કર્ણાટકના બેલાગવી જિલ્લાના
કોન્ટ્રાક્ટર અને ભાજપના કાર્યકર સંતોષ પાટીલે કથિત રીતે
12 એપ્રિલે ઉડુપીમાં એક લોજમાં ઝેરી દવા પીને
આત્મહત્યા કરી હતી. તેણે સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો હતો કે મંત્રી ઈશ્વરપ્પાએ એક
કામ માટે તેના સહાયકો દ્વારા તેની પાસેથી
40 ટકા કમિશન માંગ્યું હતું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પંચાયત રાજ પ્રધાન
ગિરિરાજ સિંહને પત્ર લખીને ઈશ્વરપ્પા પર તેમના દ્વારા કરવામાં આવેલા કામ માટે
40 ટકા કમિશનની માંગ કરવાનો
આરોપ મૂક્યો હતો.

javascript:nicTemp();

કોન્ટ્રાક્ટરના મૃત્યુમાં
નામ આવ્યા બાદ વિપક્ષે મંત્રી ઈશ્વરપ્પાના રાજીનામાની માંગણી કરી હતી.
પરંતુ રાજ્ય કેબિનેટે તે સમયે કહ્યું હતું કે તેમના રાજીનામાની કોઈ
જરૂર નથી. જોકે હવે તેમણે રાજીનામું આપી દીધું છે. ઇશ્વરપ્પા સામે બે દિવસ પહેલા
13 એપ્રિલે કોન્ટ્રાક્ટરને
આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું
કે આ કેસમાં ઈશ્વરપ્પાને પ્રથમ આરોપી બનાવવામાં આવ્યા છે. પાટીલ
, જે પોતાને ભાજપના કાર્યકર તરીકે ઓળખાવે છે, તેણે 30 માર્ચે આરોપ મૂક્યો હતો કે તેણે આરડીપીઆર વિભાગમાં નોકરી કરી હતી અને
તે ચૂકવણી કરવા માંગે છે.
પરંતુ ઇશ્વરપ્પાએ રૂ. 4 કરોડના કામ માટે 40 ટકા કમિશનની માંગ કરી હતી.
મંત્રીએ માત્ર આરોપને ફગાવ્યો ન હતો.
પરંતુ કોન્ટ્રાક્ટર સામે
માનહાનિનો દાવો પણ કર્યો હતો.

 

Tags :
contractorssuicidecaseGujaratFirstishwarappaKarnatakagovernmentresigns
Next Article