Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યમાં 33 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, જાનમાલનું નુકશાન નિયંત્રણમાં

શરૂઆતના 15 દિવસમાં જ ગુજરાતમાં સીઝનનો 45 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જોકે ભૂપેન્દ્ર પટેલ સરકારે આ બાબતે સમયસર રાહત અને બચાવ કાર્ય સમગ્ર ગુજરાતમાં શરૂ કરી દીધું હતું અને જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક યોગ્ય કામગીરી માટે સૂચનાઓ આપવામા આવી હતી. તેના લીધે રાજ્યમાં જાનમાલના નુકશાનને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારના સમયસર લેà
રાજ્યમાં 33 હજારથી વધુ લોકોનું સ્થળાંતર  જાનમાલનું નુકશાન નિયંત્રણમાં
Advertisement
શરૂઆતના 15 દિવસમાં જ ગુજરાતમાં સીઝનનો 45 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જોકે ભૂપેન્દ્ર પટેલ સરકારે આ બાબતે સમયસર રાહત અને બચાવ કાર્ય સમગ્ર ગુજરાતમાં શરૂ કરી દીધું હતું અને જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક યોગ્ય કામગીરી માટે સૂચનાઓ આપવામા આવી હતી. તેના લીધે રાજ્યમાં જાનમાલના નુકશાનને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારના સમયસર લેવાયેલા નિર્ણયોથી જાનમાલના નુકશાનને નિયંત્રણમાં રાખી શકાયું છે. રાજ્યભરમાં અત્યારે 18 એનડીઆરએફની ટીમ કાર્યરત છે. તે સિવાય 18 એસડીઆરએફ પ્લાટૂન પણ મોકલવામા આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ મળીને કુલ 8 ટીમ રિઝર્વમાં છે. 33 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામા આવ્યા છે. 
તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારનો સર્વે કરીને નુકશાનનો અંદાજ મેળવવામા આવશે. લોકોને આશ્રયસ્થળોએ સુરક્ષિત વાતાવરણમાં ખસેડીને ભોજન અને જરૂરી સામાન પ્રદાન કરવામા આવી રહ્યો છે. અનરાધાર વરસાદના લીધે 5150 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. તેમાંથી 5110 ગામડાઓમાં સફળતાપૂર્વક રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ 17.1 કરોડ 156 નગરપાલિકાઓને ફાળવ્યા છે જે સફાઇ કામગીરી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના કામોમાં ઉપયોગમાં લેવાશે. રાજ્ય વહીવટીતંત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી બંધ રોડ, ઇમરજન્સી હેલ્પલાઇન અને વરસાદની પેટર્ન અંગે લોકોને સમયસર માહિતગાર કરી રહ્યું છે. 
ખેડૂતોએ આ સમયે 44,36,980 હેક્ટરથી વધુની જમનીમાં ખરીફ પાકની વાવણી કરી છે. તે 50 ટકાથી વધુ ખરીફ વિસ્તાર છે. મોટાભાગના ડેમ 50 ટકા જેટલા પાણીથી ભરાઇ ગયા છે. સરદાર સરોવર ડેમમાં 48 ટકા પાણી ભરાયું છે. 
ડેટા પર નજર કરીએ તો આ વર્ષે જુલાઈમાં 14 દિવસમાં જે એવરેજ વરસાદ નોંધાયો છે તે ગત વર્ષની સરખામણીએ બમણાથી પણ વધુ છે. ગત વર્ષે આંકડો 155.92 mm હતો જે આ વર્ષે 397.02 mm છે. રાજ્યનો એવરેજ વરસાદ 850 mm છે. નોંધપાત્ર બાબત એ છે કે જુલાઈ મહિનાના કુલ વરસાદનો 50 ટકા વરસાદ 8-11 જુલાઇ 2022 સુધીમાં જ 20 તાલુકામાં નોંધાઇ ગયો છે. દરેક તાલુકામાં આજ દિન સુધી 50 mmથી વધુ વરસાદ પડ્યો છે. આ દાયકામાં પહેલી વખત છે કે જુલાઈમાં ગુજરાતમાં આટલી પ્રચંડ માત્રામાં વરસાદ પડ્યો હોય. 
નર્મદાના કરજણ પાસે નદીના તટમાં 21 લોકો ફસાયાં હોવાની બાતમી મળતા હેલિકોપ્ટરથી બચાવકાર્ય કરવાનું નક્કી કરવામા આવ્યું હતું. જોકે હવામાનની પરિસ્થિતિ અને સમયને ધ્યાનમાં લઇને એનડીઆરએફના જવાનોએ નદીમાં જઇને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે 21 લોકોને બચાવી લીધા હતા અને સૌ કોઇએ તેમના સાહસ અને કામગીરીને બિરદાવી હતી.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×