Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હોદ્દા પરથી હટતાં જ રામનાથ કોવિંદ પર મહેબૂબા મુફ્તીએ સાધ્યું નિશાન

દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu)એ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લેતા જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) એ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર નિશાન સાધ્યું છે.તેમણે ટ્વિટ કર્યું કે, ' કલમ 370, નાગરિકતા અધિનિયમ (CAA) વિશે હોય અથવા લઘુમતીઓ અથવા દલિતોને નિશાન બનાવવાની હોય. રામનાથ કોવિંદે હંમેશા ભારતીય બંધારણના નામે ભાજપના રાજકીય એજન્ડાને પૂરો કર્યો છે. àª
07:00 AM Jul 25, 2022 IST | Vipul Pandya
દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu)એ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. શપથ લેતા જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) એ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર નિશાન સાધ્યું છે.
તેમણે ટ્વિટ કર્યું કે, ' કલમ 370, નાગરિકતા અધિનિયમ (CAA) વિશે હોય અથવા લઘુમતીઓ અથવા દલિતોને નિશાન બનાવવાની હોય. રામનાથ કોવિંદે હંમેશા ભારતીય બંધારણના નામે ભાજપના રાજકીય એજન્ડાને પૂરો કર્યો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આઉટગોઇંગ પ્રેસિડેન્ટ (રામ નાથ કોવિંદ) પાછળ એક વારસો છોડી ગયા છે જ્યાં ભારતીય બંધારણને ઘણી વખત કચડી નાખવામાં આવ્યું છે.

 જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અવારનવાર અલગ-અલગ મુદ્દાઓ પર ભાજપ પર પ્રહાર કરતા રહ્યા છે. અગાઉ તેમણે 'હર ઘર તિરંગા અભિયાન' પર નિશાન સાધ્યું હતું.
 અગાઉ મુફ્તીએ કહ્યું હતું કે આ દેશ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા નેતાઓના લોહી અને પરસેવાથી બન્યો હતો.જેનો આધાર લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા હતો, ભાજપ તેનાથી વિપરીત કરી રહ્યું છે. મેં મારા જીવનમાં આનાથી વધુ ભ્રષ્ટ સરકાર ક્યારેય જોઈ નથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા કે મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપના હોર્સ-ટ્રેડ ધારાસભ્યો છે, ઇતિહાસમાં ભ્રષ્ટાચારનું તેનાથી મોટું કોઈ ઉદાહરણ નથી.
Tags :
GujaratFirstMehboobaMuftiPoliticsRamnathKovind
Next Article