Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના નેતાઓએ આપ્યાં સામૂહિક રાજીનામા, નૂપુર શર્મા કનેક્શનને કારણે સમગ્ર કર્ણાટકમાં તણાવ

ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય પ્રવીણ નેતારુ પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તે પોતાની દુકાન બંધ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મંગળવારે રાત્રે ભાજપ યુવા પાંખના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. આ પછી કર્ણાટકના ઘણા ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ભાજપના યુવા પાંખના સભ્યોએ સંગઠનમાંથી મોટા પાયે રાજીનામા આ ઘàª
ભાજપના નેતાઓએ આપ્યાં સામૂહિક રાજીનામા  નૂપુર શર્મા કનેક્શનને કારણે સમગ્ર કર્ણાટકમાં તણાવ
ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય પ્રવીણ નેતારુ પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તે પોતાની દુકાન બંધ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મંગળવારે રાત્રે ભાજપ યુવા પાંખના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. આ પછી કર્ણાટકના ઘણા ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. 

ભાજપના યુવા પાંખના સભ્યોએ સંગઠનમાંથી મોટા પાયે રાજીનામા 
આ ઘટના બાદ સત્તાધારી પક્ષને તેના જ કાર્યકરોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. એક સાથે અનેક કાર્યકરો મોટા પાયે રાજીનામા આપી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, કર્ણાટકના ઘણા ભાગોમાં ભાજપના યુવા પાંખના સભ્યોએ સંગઠનમાંથી મોટા પાયે રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે. તેઓ આરોપ લગાવે છે કે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પાર્ટીના કાર્યકરોના જીવનની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. કેટલાક વિડીયો સામે આવ્યા છે જેમાં નારાજ ભાજપના કાર્યકરોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કતીલની કારને ઘેરી લીધી છે અને તેમને માર માર્યો છે.
કર્ણાટક ભાજપના યુવા નેતાની હત્યા બાદ હંગામો, વિરોધ બાદ બજાર બંધ
પોલીસના જણાવ્યા અનુસાર, મોટરસાઇકલ પર સવાર હત્યારાઓએ મંગળવારે રાત્રે ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય પ્રવીણ નેતારુ પર હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તે પોતાની દુકાન બંધ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. હુમલો કરીને હત્યારાઓ ત્યાંથી ભાગી ગયા હતા.. તેમને લોહીથી લથપથ જમીન પર પડેલી જોઈને સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ 32 વર્ષીય નેતારુને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
નૂપુર કનેક્શનને લઈને ટેન્શન?
પ્રવીણે 29 જૂને કન્હૈયા લાલનું સમર્થન કરતી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. કન્હૈયાએ કથિત રીતે ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માને સમર્થન આપ્યું હતું. પ્રવીણે ફેસબુક પોસ્ટમાં કન્હૈયા લાલનો બચાવ કર્યો અને પોતાનો ગુસ્સો જેહાદીઓ પર ઠાલવ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવીણની હત્યા પાછળ નુપુર કનેક્શન હોઈ શકે છે. 
VHPએ દક્ષિણ કન્નડ જિલ્લામાં બંધનું એલાન આપ્યું 
યુવા પાંખના નેતાની હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા બંધનું એલાન આપતા દુકાન માલિકોએ બુધવારે શટર પાડી દીધા હતા. VHPએ સુલિયા, કડબા અને પુત્તુર તાલુકામાં હડતાળનું આહ્વાન કર્યું છે. કેટલીક જગ્યાએથી સરકારી બસો પર પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી છે. બોલવરમાં પથ્થરમારાની ઘટનામાં પુત્તુરથી મેંગલુરુ જઈ રહેલી બસને નુકસાન થયું છે.

સંવેદનશીલ જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી
દરમિયાન, ભારતીય જનતા યુવા મોરચા (BJYM) જિલ્લા સમિતિના સભ્ય પ્રવીણ નેતારુના મૃતદેહને સંઘ સંગઠનોના કાર્યકરો દ્વારા એમ્બ્યુલન્સમાં નેતારુ લઈ જવામાં આવ્યા હતા. યુવા નેતાના અંતિમ સંસ્કાર તેમના વતન નેતારુ ખાતે કરવામાં આવશે. વિવિધ હિંદુ સંગઠનો સાથે જોડાયેલા યુવા કાર્યકરો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા હતા. હત્યા બાદ સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ચાર ટીમો બનાવી છે. આ ઘટના દક્ષિણપંથી સંગઠનોની શંકાને સાંપ્રદાયિક વળાંક આપી શકે છે કે તે જ વિસ્તારમાં લઘુમતી સમુદાયના યુવકની તાજેતરમાં થયેલી હત્યાના બદલામાં ભાજપના નેતાની હત્યા કરવામાં આવી હતી.ભાજપના કાર્યકરની હત્યામાં SDPI, PFI સામેલ હોઈ શકે છેઃ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી

સરકાર ગુનેગારોને કડક સજા આપશે
દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ બુધવારે સંકેત આપ્યા છે કે આ હત્યા પાછળ SDPI, PFI જેવા સંગઠનોનો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ગુનેગારોને કડક સજા આપશે. કર્ણાટકના બીજેપીના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીએ કહ્યું, "પ્રારંભિક અહેવાલો અને કેટલાક મીડિયા અહેવાલો SDPI અને PFI લિંક્સનો સંકેત આપે છે. કેરળમાં તેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસે તેમને પ્રમોટ કર્યા છે. કર્ણાટકમાં અમારી સરકારે પગલાં લીધાં છે ગુનેગારો પકડશે "
ભાજપ યુવા મોરચાના સદસ્યના હત્યારા જલ્દી પકડાઈ જશેઃ બોમાઈ
ભાજપના યુવા મોરચાના સભ્યની હત્યાની નિંદા કરતા, મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ બુધવારે ખાતરી આપી હતી કે "જઘન્ય કૃત્ય" માં સામેલ ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા મુજબ સજા કરવામાં આવશે. ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં આ ઘટના બની તે કેરળ સરહદની નજીક છે અને રાજ્ય પોલીસ કેરળ પોલીસના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરીને ગુનેગારોને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
હત્યારાઓને શોધવા માટે છ પોલીસ ટીમો બનાવવામાં આવી
બોમ્માઈએ ટ્વીટ કર્યું, "દક્ષિણ કન્નડમાં સુલિયાના અમારા પાર્ટી કાર્યકર પ્રવિણ નેતારુની જઘન્ય હત્યા નિંદનીય છે. આ જઘન્ય કૃત્યોમાં સંડોવાયેલા લોકોની જલ્દીથી ધરપકડ કરવામાં આવશે અને કાયદા મુજબ સજા કરવામાં આવશે.” જ્ઞાનેન્દ્રએ કહ્યું કે તેમણે આ ઘટના વિશે મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને પોલીસને જરૂરી સૂચનાઓ આપી છે. તે જ સમયે, પોલીસે બુધવારે જણાવ્યું હતું કે હત્યારાઓને શોધવા માટે છ પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને 15 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. ત્રણ ટીમોને પડોશી કેરળ અને મદિકેરી અને હસન મોકલવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.