Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેને મળતા અનેક રાજકીય અટકળો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે MNS પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેના નિવાસસ્થાને જઇ તેમને મળ્યા હતા.  આ બંને નેતાઓ વચ્ચે એવા સમયે મુલાકાત થઈ છે જ્યારે શિંદે કેબિનેટનું વિસ્તરણ થવાનું છે. આ પછી રાજકીય વર્તુળોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું રાજ ઠાકરેની પાર્ટી MNSને પણ મહારાષ્ટ્રના શિંદે કેબિનેટમાં સામેલ કરવામાં આવશે?મહારા
09:46 AM Jul 15, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે MNS પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેના નિવાસસ્થાને જઇ તેમને મળ્યા હતા.  આ બંને નેતાઓ વચ્ચે એવા સમયે મુલાકાત થઈ છે જ્યારે શિંદે કેબિનેટનું વિસ્તરણ થવાનું છે. આ પછી રાજકીય વર્તુળોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું રાજ ઠાકરેની પાર્ટી MNSને પણ મહારાષ્ટ્રના શિંદે કેબિનેટમાં સામેલ કરવામાં આવશે?
મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ લીધાના એક પખવાડિયા પછી, એવું લાગે છે કે ભાજપ અને શિંદે પક્ષે પોર્ટફોલિયો અને પોસ્ટની વહેંચણી અંગે સમજૂતી કરી છે. 
શિંદે કેમ્પ, જેમાં ખુદ શિંદે સહિત 40 નેતાઓ સામેલ છે, તેમાંથી 16 મંત્રીઓ તરીકે શપથ લઈ શકે છે, જ્યારે સરકારમાં 27 મંત્રીઓ ભાજપના હશે. રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રી પરિષદમાં વધુમાં વધુ 43 સભ્યો હોઈ શકે છે.
અહેવાલો અનુસાર, ગઠબંધનમાં ત્રીજા ભાગના ધારાસભ્યો ધરાવતા એકનાથ શિંદે જૂથ 30% થી વધુ મંત્રીપદ મેળવવામાં સફળ રહ્યું છે. ભાજપ ગૃહ, નાણાં, મહેસૂલ, સહકાર અને જળ સંસાધન જેવા મહત્વના વિભાગો પોતાની પાસે રાખશે. જે સાબિત કરે છે કે સરકાર ભલે શિવસેનાના શિંદે ચલાવે, પરંતુ ભાજપનું વર્ચસ્વ જળવાઈ રહેશે. બીજી તરફ, શિંદે કેમ્પને શહેરી વિકાસ, જાહેર આરોગ્ય, તબીબી, શિક્ષણ, કૃષિ અને ગ્રામીણ વિકાસ વિભાગો મળી શકે છે.  ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે શહેરી વસ્તી સાથે સંપર્ક જાળવી રાખવા માટે, ભાજપ આવાસ જેવો વિભાગ પણ પોતાની પાસે રાખવા માંગે છે.

મહારાષ્ટ્રમાં હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ થયું નથી. હાલમાં કેબિનેટમાં માત્ર મુખ્યમંત્રી શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આવતા સપ્તાહે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે. બીજેપી નેતાએ કહ્યું કે તમામ મંત્રી પદો એક સાથે ભરવામાં આવશે નહીં, કેટલાક મંત્રી પદો હાલમાં ખાલી રાખવામાં આવશે.  શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે શિંદે જૂથના નેતા નારાજગી બતાવી શકે છે. દરેક વ્યક્તિ કેબિનેટ મંત્રી બનવા માંગે છે. તેમણે કહ્યું કે ઠાકરે સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂકેલા બચ્ચુ કડુ કૃષિ મંત્રી બનવા ઉત્સુક છે. આવી સ્થિતિમાં શિંદે જૂથમાં ભારે ખેંચતાણ થઈ શકે છે.
Tags :
DevendraFadnavisGujaratFirstMaharashtraRAJTHACKERAY
Next Article