Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અગ્નિપથ પર મંથન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આજે પણ મહત્વની બેઠક

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આર્મી ચીફ અને વરિષ્ઠ કમાન્ડરો સાથે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરી રહ્યા છે. આ બેઠક પછી, લશ્કરી બાબતોના વિભાગ (ડીએમએ)ના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી સહિત ત્રણેય સેવાઓના વરિષ્ઠ કમાન્ડર અગ્નિપથ યોજના પર પ્રેસ કોન્ફરન્સ કરશે. હાલમાં અગ્નિપથ યોજનાને વધુ આકર્ષક કેવી રીતે બનાવી શકાય તેના પર બેઠક ચાલી રહી છે જેથી દેશમાં થઈ રહેલા વિરોધનો અંત લાવી શકાય.આ બેà
06:15 AM Jun 19, 2022 IST | Vipul Pandya
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આર્મી ચીફ અને વરિષ્ઠ કમાન્ડરો સાથે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરી રહ્યા છે. આ બેઠક પછી, લશ્કરી બાબતોના વિભાગ (ડીએમએ)ના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી સહિત ત્રણેય સેવાઓના વરિષ્ઠ કમાન્ડર અગ્નિપથ યોજના પર પ્રેસ કોન્ફરન્સ કરશે. હાલમાં અગ્નિપથ યોજનાને વધુ આકર્ષક કેવી રીતે બનાવી શકાય તેના પર બેઠક ચાલી રહી છે જેથી દેશમાં થઈ રહેલા વિરોધનો અંત લાવી શકાય.
આ બેઠક સવારે 10.15 કલાકે અકબર રોડ સ્થિત નિવાસસ્થાને શરૂ થઈ છે. આ બેઠકમાં ત્રણેય સેના પ્રમુખ હાજર છે.  આર્મી ચીફ ગઈ કાલે એરફોર્સના કાર્યક્રમ માટે હૈદરાબાદ ગયા હતા. તેથી હાજર રહી શક્યા ન હતા પરંતુ આજે બેઠકમાં હાજર રહ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે પણ સેના પ્રમુખો સાથે બેઠક કરી હતી.
ગઈકાલે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અગ્નિવીરોને સંરક્ષણ મંત્રાલયની સિવિલ નોકરીઓમાં 10 ટકા અનામત મળશે. કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ પીએસયુમાં પણ 10 ટકા ક્વોટા આપવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જરૂરી પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા અગ્નિવીર માટે સંરક્ષણ મંત્રાલયમાં નોકરીની 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સ અને તમામ 16 સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 10% અનામત લાગુ કરવામાં આવશે. આ આરક્ષણ ભૂતપૂર્વ સૈનિકો માટેના હાલના આરક્ષણ ઉપરાંત હશે.
અગ્નિપથ યોજના હેઠળ, ભારતીય વાયુસેના 24 જૂનથી ભરતી અભિયાન શરૂ કરવા જઈ રહી છે, ત્યારબાદ ભારતીય સેના દ્વારા ટૂંક સમયમાં સૂચના જારી કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે સેનામાં ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને વિદ્યાર્થીઓએ તેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું, યુવાનોના ભવિષ્ય પ્રત્યેની તેમની ચિંતા અને સંવેદનશીલતા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. હું યુવાનોને અપીલ કરું છું કે થોડા દિવસોમાં સેનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.  યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની સૂચના પર સરકારે આ વખતે અગ્નિવીરોની ભરતી માટેની વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી છે.
Tags :
AgneepathAgnipathSchemeDefenseMinisterGujaratFirstrajnathsingh
Next Article