Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ત્રિપુરાની બારડોલી બેઠક પરથી માણિક સાહા જીત્યા, મુખ્યમંત્રીની ખુરશી સુરક્ષિત

ત્રિપુરા વિધાનસભા પેટાચૂંટણીની ત્રણ બેઠકોના પરિણામો આજે જાહેર થઈ ગયા છે. અહીં ભાજપે બે અને કોંગ્રેસે એક બેઠક જીતી છે. અન્ય એક બેઠક પર ભાજપના ઉમેદવાર પાંચ હજારથી વધુ મતોથી આગળ છે. ત્રિપુરા વિધાનસભા પેટાચૂંટણીની ત્રણ બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. અહીં ભાજપે બે અને કોંગ્રેસે એક બેઠક જીતી છે. અન્ય એક બેઠક પર ભાજપના ઉમેદવાર પાંચ હજાર મતથી આગળ છે. મુખ્યમંત્રી માણિક સાહા પણ ભાજપ માટે
09:48 AM Jun 26, 2022 IST | Vipul Pandya
ત્રિપુરા વિધાનસભા પેટાચૂંટણીની ત્રણ બેઠકોના પરિણામો આજે જાહેર થઈ ગયા છે. અહીં ભાજપે બે અને કોંગ્રેસે એક બેઠક જીતી છે. અન્ય એક બેઠક પર ભાજપના ઉમેદવાર પાંચ હજારથી વધુ મતોથી આગળ છે. ત્રિપુરા વિધાનસભા પેટાચૂંટણીની ત્રણ બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. અહીં ભાજપે બે અને કોંગ્રેસે એક બેઠક જીતી છે. અન્ય એક બેઠક પર ભાજપના ઉમેદવાર પાંચ હજાર મતથી આગળ છે. મુખ્યમંત્રી માણિક સાહા પણ ભાજપ માટે જીતવામાં સફળ રહ્યાં છે. આ સાથે તેમની મુખ્યમંત્રીની ખુરશી સુરક્ષિત થઈ ગઈ છે.
માણિક સાહા માટે વિજય જરૂરી હતો
ત્રિપુરાના મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર માણિક સાહાએ ટાઉન બારડોલી વિધાનસભા બેઠક પર 6104 મતોની સરસાઈથી જીત મેળવી છે. અહીં તેમના નજીકના ઉમેદવાર કોંગ્રેસના આશિષ કુમાર સાહા હતા. સાહાને 17,181 વોટ મળ્યા જ્યારે આશિષ કુમારને 11,077 વોટ મળ્યા. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી સાહા માટે આ પેટાચૂંટણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેઓ વિધાનસભાના સભ્ય ન હતા અને જો તેઓ પેટાચૂંટણી હારી ગયા હોત તો તેમનું મુખ્ય મંત્રી પદ જોખમમાં મુકાયું હોત. રાજ્યસભામાં, સાહાને ગયા મહિને તત્કાલીન મુખ્ય પ્રધાન બિપવબ દેવે અચાનક રાજીનામું આપ્યા પછી ત્રિપુરાના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ નિયમો અનુસાર હવે તેમણે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપવું પડશે.
કોંગ્રેસે એક સીટ પર જીત મેળવી 
બીજી તરફ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા સુદીપ રોય બર્મને અગરતલા બેઠક પર જીત મેળવી છે. તેમણે ભાજપના અશોક સાહાને 3,163 મતોથી હરાવ્યા હતા. આ સિવાય સુરમા અને જુબરાજનગર વિધાનસભા બેઠકો પર બહુકોણીય મુકાબલો હતો. અહીં ભાજપ, કોંગ્રેસ, ટીએમસી અને ત્રિપુરા મોથા પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. જુબરાજનગરમાં ભાજપના મલિના દેબનાથે CPIMના શૈલેન્દ્ર ચંદ્ર નાથને 4,572 મતોના માર્જિનથી હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે જુબરાજનગર સીપીઆઈનો પરંપરાગત ગઢ રહ્યો છે. સૂરમામાં પણ ભાજપના ઉમેદવાર સ્વપ્ન દાસને અપક્ષ ઉમેદવાર બાબુરામ સતનામી પર 5,589 મતોની લીડ હતી.
Tags :
GujaratFirstNationalNewsTripuraElections
Next Article