Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર કરી રહ્યાં છે લગ્નની તૈયારીઓ, જાણો ક્યારે લઇ શકે છે સાત ફેરા!

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. ચાહકો હવે બંનેને લગ્નના બંધનમાં બંધાતા જોવા ઈચ્છે છે અને લાગે છે કે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે કારણ કે બંને લગ્ન કરવાના છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. પહેલા તો બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને બધાથી છુપાવ્યા હતા, પરંતુ પછી એક દિવસ બંનેએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને અટકળો પર પૂર્ણવ
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર કરી રહ્યાં છે લગ્નની તૈયારીઓ  જાણો ક્યારે લઇ શકે છે સાત ફેરા
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. ચાહકો હવે બંનેને લગ્નના બંધનમાં બંધાતા જોવા ઈચ્છે છે અને લાગે છે કે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે કારણ કે બંને લગ્ન કરવાના છે. 
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. પહેલા તો બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને બધાથી છુપાવ્યા હતા, પરંતુ પછી એક દિવસ બંનેએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને અટકળો પર પૂર્ણવિરામ આલગાવી દીધું કે બંને એકબીજાને પ્રેમ કરે છે. બંનેના સંબંધની ખાસ વાત એ છે કે મલાઈકા અને અર્જુન હંમેશા એકબીજાનો સાથ આપે છે, દરેક મુશ્કેલીમાં એકબીજાની પડખે ઉભા રહે છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે બંને પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવાના છે. અર્જુન અને મલાઈકા પ્લાન કરી રહ્યા છે કે બંને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની જાય તો નવાઇ નહીં.

જાણો ક્યારે છે લગ્નનો પ્લાન
બોલિવૂડ અહેવાલો અનુસાર, અર્જુન અને મલાઈકા આ વર્ષના શિયાળામાં લગ્નની તૈયારી કરી રહ્યા છે. બંને આ વર્ષના અંતે નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. લગ્ન મુંબઈમાં થઈ શકે છે અને તેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહેશે.
લગ્નમાં આવુ ડ્રેસીંગ હશે 
સમાચાર એ પણ આવી રહ્યા છે કે મલાઈકા લગ્નમાં સાદી સાડી પહેરશે જ્યારે અર્જુન કુર્તા. સાથે જ બંને વેડિંગ પાર્ટીમાં વેસ્ટર્ન આઉટફિટ પહેરશે.

કોણ સામેલ થશે
મલાઈકા અને અર્જુન વધુ ધામધૂમથી નહિ પરંતુ ઈન્ટિમેટ લગ્ન ઈચ્છે છે. લગ્નની નોંધણી કર્યા પછી, બંને લગ્નની પાર્ટી આપી શકે છે. આ પાર્ટીમાં તેમના ઈન્ડસ્ટ્રીના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહેશે. આ લગ્નમાં કપૂર પરિવાર, મલાઈકાના પરિવારના સભ્યો અને કરીના કપૂર ખાન સહિત તેના મિત્રોએ હાજરી આપી હતી.


અર્જુને પોતાના સંબંધ વિશે ચુપ્પી તોડી 
અર્જુને અગાઉ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારા સંબંધોની ખાસ વાત એ છે કે અમે હંમેશા એકબીજાની સાથે છીએ. જ્યારે અમારા સંબંધો વિશે નકારાત્મક કમેન્ટ કરવામાં આવે છે ત્યારે અમે હંમેશા એકબીજાનો સપોર્ટ કર્યો છે.  મલાઈકાએ ઘણું બધું  સહન કરવું પડ્યું છે, પરંતુ હું જાણું છું કે તે આ તમામ બાબતોને શાંતિથી કેવી રીતે મેનેજ કરે છે. મને અને આ સંબંધને. અમને ગર્વ થાય છે કે આ સંબંધ દ્વારા, અમે તમામ ખોટી વિચારસરણીને તોડીએ છીએ જે કપલની ઉંમર સાથે સંલગ્ન છે. અમે જોઈ રહ્યા છીએ કે અમારા પછી હવે સમાજમાં લોકો ધીમે ધીમે તેમના પર્સનલ સંબંધો પર સ્ટેન્ડ લઈ રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.