બંધન
માહિર અને ઋચિ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી મળ્યાં. 'માહિર! તારા તો પ્રેમલગ્ન હતા? તો કેમ છૂટા થવું છે તારે?''પ્રેમલગ્નમાં તો પ્રેમ નાબૂદ અને નામનું જ લગ્ન બાકી રહ્યું હતું.'ઋચિને એનાં સપનાં પૂરાં થતાં લાગ્યાં.-'છૂટાછેડાનું કારણ?'-'ભ્રમરવૃત્તિ.'શબ્દનો અધ્યાહાર ઋચિ સમજી. એણે સેલ્ફી લેવાના બહાને છેલ્લી બાજી ખેલી. માહિરની પત્નીને ફોનમાં મળેલો સંદેશો એને અકળાવી ગયો. અંતે નિર્ણય પર આવી એà
માહિર અને ઋચિ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી મળ્યાં.
"માહિર! તારા તો પ્રેમલગ્ન હતા? તો કેમ છૂટા થવું છે તારે?"
"પ્રેમલગ્નમાં તો પ્રેમ નાબૂદ અને નામનું જ લગ્ન બાકી રહ્યું હતું."
ઋચિને એનાં સપનાં પૂરાં થતાં લાગ્યાં.
-"છૂટાછેડાનું કારણ?"
-"ભ્રમરવૃત્તિ."
શબ્દનો અધ્યાહાર ઋચિ સમજી. એણે સેલ્ફી લેવાના બહાને છેલ્લી બાજી ખેલી. માહિરની પત્નીને ફોનમાં મળેલો સંદેશો એને અકળાવી ગયો. અંતે નિર્ણય પર આવી એણે વકીલને ફોન જોડયો.
Advertisement