Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ ઠાકરેની ચેતવણી બાદ હવે શરદ પવાર બોલ્યા, રાજ્ય સરકાર ગંભીરતાથી વિચાર કરે

મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરનો મુદ્દો જોર પકડી રહ્યો છે. રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા મહારાષ્ટ્ર સરકારને 3 મે સુધી આપવામાં આવેલી ચેતવણી પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારનું નિવેદન હવે સામે આવ્યું છે. NCPના વડા શરદ પવારે બુધવારે કહ્યું કે રાજ્ય સરકારે તેના પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આ વખતે મોંઘવારી અને બેરોજગારી પર બોલવà
11:24 AM Apr 13, 2022 IST | Vipul Pandya

મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરનો મુદ્દો જોર પકડી રહ્યો છે. રાજ ઠાકરેની
આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા મહારાષ્ટ્ર સરકારને
3 મે સુધી આપવામાં આવેલી ચેતવણી પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારનું નિવેદન હવે સામે આવ્યું છે. NCPના વડા શરદ પવારે બુધવારે કહ્યું કે રાજ્ય સરકારે તેના પર ગંભીરતાથી
વિચાર કરવો જોઈએ. આ વખતે મોંઘવારી અને બેરોજગારી પર બોલવાનું કહ્યું પણ આના પર કોઈ
અવાજ ઉઠાવ્યો નથી.
 

javascript:nicTemp();

MNS વડા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને 3 મે સુધી મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની ચેતવણી આપી છે. મુંબઈમાં પત્રકારોના પ્રશ્નોના જવાબમાં
એનસીપીના વડા શરદ પવારે કેન્દ્રમાં ભાજપ વિરુદ્ધ ત્રીજા મોરચાની રચના અંગે કહ્યું
કે કોંગ્રેસ વિના તે શક્ય નથી. ઠાકરેએ આ મુદ્દાને સામાજિક મુદ્દો ગણાવ્યો હતો અને
કહ્યું હતું કે તેઓ આ મુદ્દે પાછળ નહીં હટે. તેમણે શિવસેના સરકારને પડકાર ફેંકતા
કહ્યું કે તેઓ પીછેહઠ કરશે નહીં. 
MNSના વડાએ કહ્યું, મસ્જિદોમાંના લાઉડસ્પીકર 3 મે સુધીમાં બંધ
કરી દેવા જોઈએ
. નહીં તો અમે સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડીશું. આ એક સામાજિક મુદ્દો
છે
, ધાર્મિક નહીં. હું રાજ્ય સરકારને કહેવા માંગુ
છું કે
અમે હનુમાન ચાલીસા વગાડીશું.

 

Tags :
GujaratFirstLoudspeekerMaharashtraGovermentRAJTHACKERAYSharadPawar
Next Article