Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અન્ના હજારેનું સપનું મહારાષ્ટ્ર સરકારે કર્યું પુરુ, જાણો હવે શું થશે

અન્ના હજારે (Anna Hazare)એ ભ્રષ્ટાચાર (Corruption) સામે મોટું આંદોલન શરૂ કર્યું હતું. તેમણે કોંગ્રેસની તત્કાલીન કેન્દ્ર સરકાર પાસે લોકાયુક્ત બિલ લાવવાની માંગ કરી હતી. હવે તેમના ગૃહ રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં પણ લોકાયુક્ત બિલ લાવવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લેતા રાજ્યમાં લોકાયુક્ત (Lokayukta ) લાવવાની વાત કરી છે. કેબિનેટની બેઠક પછી, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે સરકારે અન
04:00 AM Dec 19, 2022 IST | Vipul Pandya
અન્ના હજારે (Anna Hazare)એ ભ્રષ્ટાચાર (Corruption) સામે મોટું આંદોલન શરૂ કર્યું હતું. તેમણે કોંગ્રેસની તત્કાલીન કેન્દ્ર સરકાર પાસે લોકાયુક્ત બિલ લાવવાની માંગ કરી હતી. હવે તેમના ગૃહ રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં પણ લોકાયુક્ત બિલ લાવવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લેતા રાજ્યમાં લોકાયુક્ત (Lokayukta ) લાવવાની વાત કરી છે. કેબિનેટની બેઠક પછી, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે સરકારે અન્ના હજારેની આગેવાની હેઠળની સમિતિની માંગણીઓ સ્વીકારી લીધી છે, જેમાં રાજ્યમાં લોકાયુક્ત લાવવાનું કહેવામાં આવ્યું હતું. સીએમ અને કેબિનેટને લોકાયુક્તના દાયરામાં લાવવામાં આવશે તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

લોકાયુક્ત ક્યારે લાવવામાં આવશે?
રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે લોકાયુક્ત બિલ વિશે કહ્યું કે અન્ના હજારે લોકપાલ એક્ટની તર્જ પર રાજ્યમાં લોકાયુક્ત ઇચ્છતા હતા. આ કારણથી જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે અણ્ણા હજારેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. પરંતુ બાદમાં એમવીએ એટલે કે મહાવિકાસ આઘાડીની સરકાર રચાઈ. તેણે એ સૂચનો પર ધ્યાન આપ્યું નહિ. જેના કારણે કોઈ કાર્યવાહી થઈ નથી. હવે અમે રાજ્યમાં ફરી સત્તામાં આવ્યા છીએ, આ પ્રક્રિયાને આગળ વધારવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ બિલ સાથે સત્રમાં રજૂ કરી શકે છે. એટલે કે રાજ્યમાં ટૂંક સમયમાં લોકાયુક્તની રચના થઈ શકે છે.

શિંદે અને ફડણવીસે સરકારનો સૌથી મોટો નિર્ણય ગણાવ્યો 
નિવૃત્ત ન્યાયાધીશોની સાથે લોકાયુક્તમાં પાંચ લોકોને સામેલ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે. ડેપ્યુટી સીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનામાં તેમની સરકાર દ્વારા લેવાયેલ આ સૌથી મોટો નિર્ણય છે. સીએમ એકનાથ શિંદેએ પણ આ નિર્ણયને ખૂબ મહત્વનો ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે આ એક અસરકારક પગલું સાબિત થવા જઈ રહ્યું છે. તેનાથી સરકારી પ્રક્રિયાઓમાં પણ પારદર્શિતા આવશે.

લોકાયુક્ત શું છે, જાણો તેનું મહત્વ
વાસ્તવમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે અણ્ણા હજારે સતત લોકાયુક્તની માંગ કરી રહ્યા હતા. તેઓ ઇચ્છતા હતા કે લોકાયુક્ત એટલા શક્તિશાળી હોય કે તેમના દ્વારા મુખ્ય પ્રધાન સામે પગલાં લેવામાં આવે. હવે મહારાષ્ટ્ર સરકાર જે પ્રસ્તાવ લાવવા જઈ રહી છે તેમાં આ મોટું પાસું સામેલ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે સીએમ અને કેબિનેટને લોકાયુક્તના દાયરામાં લાવવામાં આવશે.
આ પણ વાંચો--દિલ્હીમાં 7 કરોડનો વ્હીકલ સ્ક્રેપનો કારોબાર, એક વર્ષમાં ત્રણ ગણો વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnnaHazareCorruptionGujaratFirstLokayuktaMaharashtra
Next Article