Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં PM મોદી ઉતરશે મેદાનમાં, ચૂંટણી પહેલા દર મહિને આવશે ગુજરાત મુલાકાતે

આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો મોર્ચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સંભાળશે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના કેટલાક મહિના પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળ્યો હતો. પૂર્વાંચàª
10:57 AM Apr 15, 2022 IST | Vipul Pandya

આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી
તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે.
ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો મોર્ચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સંભાળશે. મળતી માહિતી મુજબ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના કેટલાક મહિના પહેલા પીએમ
નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળ્યો હતો. પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન હોય કે
અલીગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ હોય
તેમણે આવા અનેક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને બીજેપીના ચૂંટણી
પ્રચારને આગળ વધારવાનું કામ કર્યું હતું. આ જ કારણ હતું કે જ્યારે ચૂંટણીની
જાહેરાત સમયે પંચે કોરોના પર નિયંત્રણો લાદ્યા હતા
, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપ પહેલેથી જ ઘણો પ્રચાર
કરી ચૂક્યો છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં પણ આવું જ કંઈક કરતા જોવા મળશે.
રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ભાજપે એક પ્રકારનો પ્રચાર શરૂ
કરી દીધો છે.


પીએમ નરેન્દ્ર મોદી
18 એપ્રિલે ત્રણ દિવસીય પ્રવાસે આવી
રહ્યા છે. અગાઉ માર્ચમાં પણ તે ગુજરાત પ્રવાસે 
આવ્યા હતા. યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આ તેમની બીજી ગુજરાત
મુલાકાત હશે. યુપી સહિત
4 રાજ્યોમાં જીત્યા બાદ 11 માર્ચે તેમણે અમદાવાદમાં મોટો રોડ શો
કર્યો હતો. ગુજરાત એકમના લોકોનું કહેવું છે કે હવે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત એ
ભાજપના પ્રચારની એક પ્રકારની શરૂઆત હશે અને કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનું કામ કરશે.
આ પ્રવાસમાં પીએમ નરેન્દ્ર મોદી આદિવાસી બહુલ જિલ્લા દાહોદની મુલાકાત લેશે. આ
ઉપરાંત બનાસકાંઠાની મુલાકાત લેવાશે જે ખેતી અને દૂધ ઉત્પાદનમાં અગ્રેસર છે. અહીં
તેઓ અનેક ડેરી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અહીં તે મહિલા દૂધ ઉત્પાદકો અને ખેડૂતો
સાથે વાત કરશે.


આ ઉપરાંત તેઓ
જામગનારમાં આયુર્વેદિક કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ હાજર રહેશે.
20 એપ્રિલે PM નરેન્દ્ર મોદી દાહોદ જશે અને તેઓ અહીં એક મોટી રેલીને સંબોધિત
કરવાના છે. તે પહેલા
10 એપ્રિલે ગૃહમંત્રી અમિત શાહ પણ
ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભાજપના નેતાઓનું કહેવું છે કે આગામી કેટલાક મહિનામાં
પીએમ નરેન્દ્ર મોદી દર મહિને ગુજરાત આવી શકે છે. આ તમામ મુલાકાતોમાં પીએમ નરેન્દ્ર
મોદી અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરશે. આ સાથે પાર્ટીના પ્રચાર
અભિયાનને પણ વેગ મળશે. પીએમ નરેન્દ્ર મોદી બાદ હવે ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ આવતા
મહિનાથી ગુજરાતની મુલાકાત લઈ શકે છે.

Tags :
GujaratElectionGujaratFirstGujaratVisitPrimeMinisterModiUttarPradesh
Next Article