Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારે સિરિઝની છેલ્લી મેચ, શું પ્રતિષ્ઠા બચાવી શકશે ટીમ ઈન્ડિયા?

સવાર 11.30 વાગ્યે શરૂ થશે મેચકેએલ રાહુલના નેતૃત્વમાં ઉતરશે ટીમ ઈન્ડિયાચાટગાંવમાં રમાશે અંતિમ વન-ડેIND vs BAN : ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે. અહીં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ત્રણ મેચોની વન-ડે સિરિઝ 2-0થી ગુમાવી દીધી છે. હવે સિરિઝની છેલ્લી અને ત્રીજી મેચ શનિવારે ચાટગાંવમાં રમાવાની છે. આ મેચ જીતીને પ્રતિષ્ઠા બચાવવાનો ભારતીય ટીમનો પ્રયાસ રહેશે.રોહિત ઈજાગ્રસ્તકેપ્ટન
05:18 PM Dec 09, 2022 IST | Vipul Pandya
  • સવાર 11.30 વાગ્યે શરૂ થશે મેચ
  • કેએલ રાહુલના નેતૃત્વમાં ઉતરશે ટીમ ઈન્ડિયા
  • ચાટગાંવમાં રમાશે અંતિમ વન-ડે
IND vs BAN : ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે. અહીં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ત્રણ મેચોની વન-ડે સિરિઝ 2-0થી ગુમાવી દીધી છે. હવે સિરિઝની છેલ્લી અને ત્રીજી મેચ શનિવારે ચાટગાંવમાં રમાવાની છે. આ મેચ જીતીને પ્રતિષ્ઠા બચાવવાનો ભારતીય ટીમનો પ્રયાસ રહેશે.
રોહિત ઈજાગ્રસ્ત
કેપ્ટન રોહિત શર્મા બીજી મેચમાં જ ઈજાગ્રસ્ત થતા સિરિઝ અધવચ્ચે જ છોડી મુંબઈ આવી જવું પડ્યું છેય રોહિતના સ્થાને ત્રીજી વન-ડે મેચમાં કેએલ રાહુલ કપ્તાની કરશે.
ત્રીજી મેચ જીતવાનો પ્રયાસ
ભારતીય ટીમ બાંગ્લાદેશના ખેલાડી બાંગ્લાદેશ સામેની આ ત્રીજી વન-ડે મેચ જીતી જાય છે તો તે પોતાની શાખ બચાવી લેશે. જો શરૂઆતની બે મેચો પર જેમ જ ત્રીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયા હારશે તો આ શરમજનક રેકોર્ડ હશે.
5માંથી 2 સિરિઝ ભારત હારી છે
ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે આ કુલ પાંચમી વનડે સિરિઝ રમાઈ રહી છે. વર્તમાન શ્રેણી સહિત ટીમ ઇન્ડિયા અત્યાર સુધી 5 વનડે શ્રેણીમાંથી 2 હારી છે. છેલ્લી વખત 2015માં બાંગ્લાદેશે 2-1થી હરાવ્યું હતું. જો આ વખતે ભારતીય ટીમ ત્રીજી મેચ પણ હારી જાય છે તો બાંગ્લાદેશ સામે તેનો પહેલો વ્હાઈટ વોશ હશે. છેલ્લી વખત એટલે કે 2015માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
કેએલ રાહુલ કપ્તાન
ત્રીજી વનડેમાં આગેવાની કરનારા કેએલ રાહુલ માટે આ મેચ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે કરો યા મરો જેવી બની રહી છે. જણાવી દઈએ કે, રોહિત શર્મા સિવાય, કુલદીપ સેન અને દીપક ચહર પણ આ છેલ્લી વનડેનો ભાગ નહીં હોય.
આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાનો એકવાર ફરી ધબડકો, બાંગ્લાદેશ સામે સીરીઝ હારી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
3rdODIBangladeshChatgaonCricketGujaratFirstIndiaIndiaVsBangladeshINDvsBANSportsNews
Next Article